પિંગલક બોલ્યો:–જવાદો એ બધી વાત. શિયાળ કેવાં લુચ્ચાં હોય છે, તે મ્હારાથી અજાણ્યું નથી. તેઓ બધું પોતાની મતલબથીજ કરે છે. પણ કહો, તમારે જે કહેવું હોયતે. હું ખુશીથી સાંભળીશ.
શિયાળે જણાવ્યું:–“ એક નવું જનાવર આવ્યું છે જંગલમાં. કહો તો ઓળખાણ કરાવું એની સાથે.”
“ના,ના ! અહિં ના લાવશો એને.” સિંહે જવાબ દીધો.
શિયાળે કહ્યું:– “એની તો આપના મિત્ર થવાની ઈચ્છા છે. કહો તો આપની પાસે લઇ આવું.”
રાજા બોલ્યો:– “એમ હોય તો ભલે લઈ આવજો. પણ એ જો જબરૂં અને ઝનુની જાનવર હોય તો મ્હારે કામ નથી એનું. એ બહુ ભયંકર ગર્જના કરે છે. એની ગર્જનાથી તે આજે હું થથરી ઉઠ્યો. ખરેખર મ્હને સખ્ત બ્હીક લાગી હતી.”
શિયાળે જવાબ દીધો:–“અરે રાજાસાહેબ ! એકલા અવાજથી શું કામ ડરવું જોઈએ ? તેનાથી શી ઈજા થવાની હતી ? સમજુ લોકો કેવળ શબ્દથીજ ડરી જતા નથી. શિયાળની વાત તો આપે સાંભળી હશે. તે પણ અવાજ સાંભળીને આમજ ગભરાઈ ગયો હતો.”
પિંગલક બોલ્યો:–“ના ભાઇ ! એ વળી કેવી વાત છે?”
શિયાળે આ પ્રમાણે વાર્તા કહી સંભળાવી:–
શિયાળ અને નગારૂં.
એક વખત એક શિયાળ વનમાં આમતેમ ઘુમ્યાં કરતું હતું. તે ઘણું ભૂખ્યું થયું હતું. આખરે સાંજ પડી, ત્યારે