પૃષ્ઠ:Bansari.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ : ૧૪૭
 

આવશે એવી મને ખાતરી હતી. સવાર પડતાં તો કમિશનર તરફથી વારંવાર મને બોલાવવા માટે ટેલિફોનમાં કહેણ આવવા લાગ્યાં. સુરેશને મળતાં પહેલાં મારે ન જવું એવો મેં નિશ્ચય કર્યો હતો. એટલે મોજો સંધાવવાને બહાને હું બેસી રહ્યો."

“એટલામાં સુરેશ આવ્યો. તેનાં મુખ ઉપરથી જ મને ખબર પડી કે તે તદ્દન નિર્દોષ છે. મેં તેને મારી સાથે લીધો."