પૃષ્ઠ:Bansari.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
જ્યોતીન્દ્રની નોંધ

વીજલડી હો ! ઊભા જો રહો તો,
દિલની પૂછું એક વાતલડી રે !
દિનને દીનાનાથે અજવાળાં આપિયાં,
અંધારી કેમ કરી રાતલડી રે !
ન્હાનાલાલ

"પોલીસ કમિશનર યુરોપિયન છે. મારા ઉપર તેમને ઘણો વિશ્વાસ છે. મને ગુનાઓની તપાસનો ઘણો શોખ છે. હું નાનો હતો ત્યારથી મને ગુનાઓનાં વર્ણનો વાંચી તેમાંથી રહસ્ય તારવી કાઢવાનો રસ પડ્યો હતો. અહીં કૉલેજનો અભ્યાસ પૂરો કરી બૅરિસ્ટર થવા હું વિલાયત ગયો ત્યારે એક સારા ગુનાશોધકનો પરિચય થયો. તેણે મને એ વર્ગના બીજા નિષ્ણાતો સાથે સંસર્ગમાં આણ્યો. સ્કૉટલેંડ યાર્ડની સરકારી સંસ્થામાં પણ જાણીતો થઈ ગયો. કમિશનર સાહેબ એ વખતે સ્કૉટલેંડ યાર્ડની પદ્ધતિઓનો અભ્યાસ કરવા માટે વિલાયત આવ્યા હતા. મારા જેવા એક હિંદીને એ સમાજમાં ફરતો જોઈ તેઓ નવાઈ પામ્યા, અને મારી સાથે બહુ માયાભર્યું વર્તન રાખવા લાગ્યા. તે જ અરસામાં નિવૃત થયેલા બે યુરોપિયન અમલદારોનાં ખૂન અને એક પારીસમાં રહેતા ગુજરાતી ઝવેરીના ઝવેરાતની મોટી ચોરી થઈ તેની ચર્ચા પેપરોમાં ઘણી ચાલતી; અને સરકારી પોલીસખાતું તેમ જ ખાનગી ધંધો કરનાર ગુનાશોધકોમાં ખળખળાટ થઈ રહ્યો હતો."

“મેં કમિશનર સાહેબને એ ત્રણે ગુનાઓ સંબંધી મારી જાતે કરેલ તપાસની બાતમી આપી. તેમને મારી બાતમી સારી લાગી અને મારી સંભાવના - Theory પ્રમાણે કામ કરવા પૂરતી સહાય અપાવી. પરિણામે ત્રણે કામમાં મને અને કમિશનર સાહેબને જશ મળ્યો. કમિશનર સાહેબે તેમ જ બીજા નિષ્ણાતોએ ખુલ્લી રીતે મારાં વખાણ કરી મને ઘણો ચઢાવ્યો, હિંદી વજીર સાથે મારી મુલાકાત કરાવી અને આવા કાર્યમાં રોકવા માટે આખી બ્રિટિશ સલ્તનતનો પરવાનો મને અપાવ્યો.

"ત્યારથી કમિશનર સાહેબની મારા ઉપર કૃપા ચાલુ જ છે. મને