પૃષ્ઠ:Bansari.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૭૩
 

જવાનો નિશ્ચય કર્યો. ગાડી મંગાવી અને હું બંસરીને લઈ સ્ટેશને ગયો. ત્રણ દિવસની મુસાફરી હતી. મેં વકીલને તાર કર્યો. વધારે લંબાણ ન કરતાં હવે એટલું જ જણાવવું રહ્યું કે બંસરીને લઈને હું એવે વખતે આવી પહોંચ્યો કે આખો મુકદ્દમો એકદમ ફરી ગયો. સુરેશને ફાંસીની સજા થાત, તેને બદલે તે નિર્દોષ ઠરી છૂટી ગયો.

‘પોલીસ કમિશનરે મને આ કેસ ઉપરથી ઇલકાબ અપાવવા માટે સરકારમાં ભલામણ કરી, પરંતુ મેં નામરજી બતાવી; એટલું જ નહિ, પણ મારા કામમાં તેવો ઇલકાબ હરકતકર્તા થઈ પડે એમ જણાવી ના પાડી.

“આ કેસમાં એટલું તો મને સ્પષ્ટ થયું કે બળનો ઉપયોગ સન્માર્ગે થાય તો જ તે વિજયી બને છે."