આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
બાપુનાં પારણાં
મને સાગરપાર બોલાવી ઓ બ્રીટન !
આદરમાનભર્યાં દઈ ઈજન,
બાંધવતા કેરાં બાંધીને બંધન
આખર આજ મતિ બિગડી :
રૂડી શ્વેત ધજા રગદોળી રહી ! ૫
અયિ ! અમૃત ચોઘડિયાં ગડિયાં
ત્યારે કેમ હળાહળ ઘોળી રહી !
મારા કોલ પળાવવા કારણિયે
ખાંડ્યા ખેડૂતોને મેં તો ખાંડણિયે,
એનાં ધાન લીધાં કણીએ કણીએ, ૧૦
'ખપી જાઓ, વીરા મારા,
નેકીને ખાતર!'
એમ ધૂમ્યો વિનવી વિનવી,
- ↑ *ચાર ગીતોમાં ગાંધીજીની જુદા જુદા પ્રસંગોની મનોદશા વર્ણવેલી છે.