પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
બાપુનાં પારણાં
 

[૧]અસહકાર એ પંચાક્ષરનો મંત્ર બાવલીઓ ભણે,
એ મંતરના અચકાથી બ્રહ્માંડ આખું ખળભળે
–બાવલીઆની૦

વજ્ર રંભા ને વૈભવ હાર્યા, સાધુડો ન સળવળે,
ઈંદ્રાસન પર ઈંદ્ર ન બેસે, તપ લાગ્યે એને તળે
–બાવલીઆની૦


  1. ૩.‘નમ:શિવાય-એ પંચાક્ષર મંત્ર છે, તેમ ગાંધીજીનો 'અસહકાર’ એ પંચાક્ષરનો છે.