પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯ મું
ગવાઈ રહેલું બારડોલી
 

 તેને ચાલુ લડત ઉપર ઘટાવી દઈ તેમણે રચેલાં સત્યાગ્રહગીતોમાંથી એક તો વરાડ વિભાગનાં ગામેગામમાં પ્રસિદ્ધ થઈ ગયું હતું :

સમજીને બાંધો હથિયાર રે, જ્ઞાનીને ઘેાડે–ટેક,
શીલ સંતોષનાં બખતર પહેરજો રે,
ધીરજની બાંધો તમે ઢાલ રે, જ્ઞાનીને ઘોડે૦
શૂરા હોય તે તો સન્મુખ લડશે રે,
ગાફેલ તો ખાશે માર રે, જ્ઞાનીને ઘેાડે૦
જુદ્ધનો મારગ સહેલો ના હોય જીરે,
ચડવાં ખાંડાં કેરી ધાર રે, જ્ઞાનીને ઘોડે૦
સતના સંગ્રામમાં ચડવું છે આપણે રે,
ચોંપે ચેતી ચાલો નરનાર રે, જ્ઞાનીને ઘોડે૦
જુલમના જુલમગારે ઝાડો ઉગાડીઆં રે,
રૈયતને કીધી બહુ હેરાન રે, જ્ઞાનીને ઘોડે૦
આજ સુધી તો અમે ઊંઘમાં ઊંઘીઆં રે,
મળીઆ ગુરુ ને લાધ્યું જ્ઞાન રે, જ્ઞાનીને ઘોડે૦
જુલમીની સાથે ભાઈઓ ન્યાયથી ઝૂઝવું રે,
આજે શીખ્યાં એ સાચો ધર્મ છે, જ્ઞાનીને ઘોડે૦
ધર્મની વારે મારો પ્રભુજી પધારશે રે,
હારી જાશે જૂઠો અધર્મ રે, જ્ઞાનીને ઘોડે૦

***

કહે છે વલ્લભભાઈ, સુણો નરનારીઓ રે,
અંતે જરૂર આપણી જીત રે, જ્ઞાનીને ઘોડે૦
વલ્લભભાઈનું વેણ તમે પાળજો રે,
એવી આ બહેનની આાશિષ રે, જ્ઞાનીને ઘોડે૦

આ બહેનો સભામાં આવતી હતી એ તો અનેકવાર લખાઈ ચૂક્યું, પણ હવે એ બહેનો પોતાની સ્વતંત્ર સભાઓ કરવા લાગી હતી. ગામડાની મુસલમાન બહેનો સભા કરે, તેમાં મણિબહેનને બોલાવી ભાષણ કરાવે અને તેમને સત્યાગ્રહને માટે થેલી અર્પણ કરે એ આ સત્યાગ્રહયુગમાં જ સંભવી શકે એમ સૌને લાગતું હતું. પણ બ્રાહ્મણ બહેનોની સભા, અને એ પછી અનેક સ્ત્રીસભાઓ, બહેનોને લડતમાં રસ લેતી કરીને સરદારે અર્ધી લડત જીતી લીધી હતી એમ કહેવામાં જરાય અતિશયતા નથી જ.

૧૫૭