પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ન્યાયના ભવાડા
 

 લાવવો અને સજા કરવી એ એનું કામ હતું એમ સમજીને એ આવ્યો હોય તો નવાઈ નથી, અને એ કામમાં એણે કચાશ ન રાખી એમ આ પ્રકરણમાં આપણે જોશું. આશ્ચર્ય નથી કે શ્રી. મુનશી જેવા કાયદાશાસ્ત્રીને આ ન્યાયનાં નાટકો જોઈને કંપારી છૂટી અને શ્રી. નરીમાન જેવાએ અકળાઈને પોકાર કર્યો, “આજે બારડોલીમાં કોઈ નવા જ ફોજદારી કાયદાનો અમલ ચાલી રહ્યો છે.”

આ રેસિડંટ મૅજિસટેટના ફેંસલાઓ ઉપર ઉપલક નજર ઠેરવતાં ઘણાખરામાં આનાં આ જ વાક્યો અથવા આવાં વાક્યો આવતાં જણાય છે: “ફરિયાદી પોતાની સાદી વાત બહુ સીધી રીતે કરે છે, અને તેને નહિ માનવાનું કશું કારણ નથી. ફરિયાદીને અથવા તો ફરિયાદપક્ષના કોઈ સાક્ષીને આરોપી પ્રત્યે કોઈ જાતનો દ્વેષ નથી. ફરિયાદપક્ષના કોઈ પણ સાક્ષીને નહિ માનવાનું કશું કારણ નથી.” ઘણાખરા આરોપીઓએ પોતાને અદાલત ઉપર બિલકુલ વિશ્વાસ નહિ હોવાથી પોતાનો બચાવ રજૂ કર્યો નહોતો તેમજ પોતાના સાક્ષીઓ પણ તેઓ લાવ્યા નહોતા, એટલે રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટે ફરિયાદ પક્ષના ‘કોઈ પણ

સાક્ષીને નહિ માનવાનું કશું કારણ’ ન જોયું. મહેસૂલ નહિ ભરવાની લડતને અંગે થયેલું હરકોઈ કૃત્ય પીનલ કોડની ૧૮૬, ૧૮૯ તથા ૪૪૭ની કલમોમાં આવી જાય એવો એ કલમોનો અર્થ અથવા અનર્થ કરવામાં આવ્યો તે એટલી હદ સુધી કે સગીરની મિલકતનો વહિવટ કરનાર સૂરતના નાઝર ઉપર સરભોણના કેટલાક પ્રતિષ્ઠિત સજ્જનોએ સગીર તરફથી મહેસૂલ નહિ ભરવાનું એક પોસ્ટકાર્ડ લખ્યું હશે તેનો પણ સરકારી અમલદારને ધમકી આપવાના આરોપ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપયોગને માટે આ મેજિસ્ટ્રેટ જવાબદાર નહોતા, અને એ આરોપ ઊડી ગયો, કારણ કેસ સુરતમાં ચાલ્યો અને ત્યાંના ડિસ્ટ્રિકટ જજને આ વાતાવરણનો સ્પર્શ લાગેલો નહોતો. શ્રી. રવિશંકર વ્યાસ જેવા સાધુચરિત અને તેમની સામે ફરિયાદ કરનાર મામલતદાર જેને બીજા સત્યાગ્રહીઓ ઓળખે એટલા જ ઓળખે

૧૯૫