પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭ મું
નિષ્પક્ષ સાક્ષીઓ
 

આવશ્યક છે કે કુલ ખેડાણ જમીનનો કેટલામો ભાગ રોકડ ગણોત આપતા ખેડૂતોના હાથમાં છે; ત્રીજો પ્રશ્ન એ છે કે આકારણીની જૂની મુદત દરમ્યાન ગણોતના દરમાં જે વધધટ થઈ હોય તે તપાસવામાં અપવાદરૂપ વર્ષોનાં ગણોતો બાદ કર્યાં છે કે નહિ; ચોથો, મહેસૂલના નવા દર નક્કી કરવા માટે માત્ર ગણોત ઉપર જ આધાર રાખવાનું લૅંડ રેવન્યુ કોડ તથા સેટલમેંટ મૅન્યુઅલની રૂએ કેટલે દરજજે વાજબી ગણાઈ શકે એમ છે.” કોડનો તથા મૅન્યુઅલનો અભ્યાસ કરીને તથા ઘણાં ગામમાં પોતે પ્રત્યક્ષ તપાસ અને પૂછપરછ કરીને તેઓ નીચેના નિર્ણયો ઉપર આવ્યા :

૧. ગણોતનાં પત્રકમાંથી વ્યાજુ ગણોતના દાખલા, શરતી વેચાણના દાખલા તથા પૂરાં વસૂલ નહિ થયેલાં ગણોતના દાખલા બાદ નહિ કરેલા હોવાથી, તેમજ ખાતેદારે જાતે જમીનમાં જે સુધારા કર્યા તેને લીધે જે વધુ ગણોત ઊપજે તેમાંથી સુધારાને કારણે ઊપજનો વધારો લૅંડ રેવન્યુ કોડની ૧૦૭ મી કલમ પ્રમાણે બાદ કરવો જોઈએ તે પણ બાદ નહિ કરેલો હોવાથી ગણોતનાં પત્રકો ગંભીર ખામીવાળાં ગણાય.

૨. રોકડ ગણોતે અપાયેલી જમીન ૨૦ ટકાની આસપાસ ગણાય, અને સને ૧૮૯૫ માં ‘૯૪ ટકા જમીન ખાતેદારો જાતે જ ખેડતા હતા,’ તે હકીકત ધ્યાનમાં લઈએ તો ગણોતે ખેડાતી જમીનનું આજનું પ્રમાણ ૩૦ ટકા ગણવું એ બહુ ગેરવાજબી રીતે મોટું પ્રમાણ છે.

૩. રેવન્યુ મેમ્બરે પોતે જ બહાર પાડેલી યાદી મુજબ ૧૯૧૮−૧૯થી ૧૯૨૪−૨૫ ની ભાવના ઉછાળાનો સમય કોઈ પણ જાતની ગણત્રીમાં નહિ લેવાવો જોઈએ.

૪. સેટલમેંટ કમિશનરે પેાતાના ‘એકમાત્ર સાચા એંધાણ’ તરીકે અપૂરતા અને ચાળ્યા વિનાના ગણોતના આંકડા ઉપર, પરોક્ષ તપાસનાં પરિણામો ઉપર અંકુશ તરીકે વાપરવા માટે નહિ પણ ખેતીના ખર્ચમાં જે વધારો થયા છે તે વિચારવું જ ન પડે અને તે માટે કાંઈ બાદ ન કરવું પડે તે માટે આધાર રાખ્યો છે. વળી ( સેટલમેંટ મૅન્યુઅલના શબ્દોમાં કહીએ તો ) ‘વધારો

૨૧૯