પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭મું
નિષ્પક્ષ સાક્ષીઓ
 


છાપાં જોગી એક લાંબી યાદી બહાર પાડી તેમાં કહ્યું: “હું એમ સમજ્યો છું કે મુંબઈ સરકાર ફરી તપાસ આપવા તો તૈયાર છે, પણ તપાસ આપતાં પહેલાં વધારેલું તમામ મહેસૂલ ભરાઈ જવું જોઈએ એ આગ્રહ રાખે છે. સરકારનું આ વલણ બહુ વિચિત્ર લાગે છે. જો વધારો પ્રથમ દર્શને જ ખોટો અને અન્યાયી હોય અને તેનો ફરી વિચાર થવાની જરૂર હોય તો એ વધારો વસુલ કરવાની માગણી કરવી એ તદ્દન અજુગતું અને ન્યાયવિરુદ્ધ છે.” સર અલી ઈમામે પોતાનો મત જાહેર કર્યો કે બારડોલીમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિનું નિરાકરણ “બન્ને પક્ષના પ્રતિનિધિઓવાળી સમિતિ નિમાય તો જ આવી શકે.” એટલો જ અસંદિગ્ધ અને તેની સંક્ષિપ્તતાને લીધે કદાચ વધારે અસરકારક અભિપ્રાય શ્રી. ચિંતામણિનો હતો. તેમણે આખા પ્રશ્નનો વિચાર શુદ્ધ વ્યવહારદૃષ્ટિથી કર્યો, તેમણે કહ્યું : “જનસ્વભાવ એટલો આડો અથવા ઊંઘબુધિયો ન જ હોય કે આટલા બધા ગરીબ માણસો આવી જબરદસ્ત સરકાર જેની મરજી એ જ કાયદો છે અને જેનો કાયદો ઘણીવાર તેના અવિવેકનો સભ્ય પર્યાય છે, તેની સાથે વિનાકારણ લડત ઉપાડે, જે લડતમાં તેમને લાભ કશો નથી પણ ગુમાવવાનું સર્વસ્વ છે,” તેમણે તો કહ્યું : “જેઓ પોતાની ફરિયાદના ન્યાયીપણા ખાતર આટલું ભયંકર દુઃખ વેઠવા તૈયાર થયા છે તેઓ વાજબી રીતે વધારો રદ્દ કરવાની જ માગણી કરી શકે, પરંતુ બારડોલીના ખેડૂતોના કેસના સબળપણાનો તથા મધ્યમસરતાનો એ તો પુરાવો છે કે તેઓ મહેસૂલમાં સીધો ઘટાડો કરવાની જ માગણી કરવાને બદલે સ્વતંત્ર અને કેવળ સરકારી અમલદારોની સમિતિથી ભિન્ન એવી તટસ્થ તપાસસમિતિની જ માગણીથી સંતોષ માને છે. સરકાર આવી તપાસ આપવાની આનાકાની કરે છે તેમાં તેના પોતાના કેસનું પોકળપણું અને નબળાપણું ઉઘાડું પડે છે. તપાસ આપવામાં આવે તો પહેલાં સરકાર વધારેલું મહેસૂલ ભરી દેવાની માગણી કરે છે તે તો એક ફારસ જ છે.” પણ આથી એક ડગલું આગળ વધીને તેમણે જાહેર કર્યું કે બારડોલીના સત્યાગ્રહ ‘કાયદેસર ચળવળ’ના અર્થની

૨૨૧