પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


-જો આ બે શરતો સ્વીકારવામાં આવે તો આંકડાની ગણતરીમાં અમલદારોએ ભૂલ કરેલી હોવાના જે આક્ષેપો છે તે સંબંધમાં ખાસ તપાસ કરવાનાં પગલાં લેવા સરકાર તૈયાર રહે. એ તપાસ આ કેસ સાથે બિલકુલ સંબંધ નહિ ધરાવતા એવા કોઈ રેવન્યુ અમલદાર મારફત થાય અથવા તો રેવન્યુ અમલદાર સાથે એક ન્યાયખાતાનો અમલદાર પણ હોય અને હકીકત કે આંકડા સંબંધી કાંઈ મતભેદ પડે તો ન્યાયખાતાના અમલદારનો નિર્ણય આખરી ગણાય.

આ 'શરતો' થી કેાણ છેતરાય ? ગાંધીજીએ તો કહ્યું, 'સરકારી હૃદય જ પિગળ્યું નથી તો પરિવર્તનની વાત જ ક્યાં કરવી ? એ હૃદય તો પથ્થરથીયે કઠણ બની ગયું છે.' શરતોમાં વિપરીત બુદ્ધિ સિવાય કશું જોવામાં આવતું નહોતું, પ્રતિષ્ઠાના ભૂતથી સરકાર હજી પછડાઈ રહેલી દેખાતી હતી. નહિ તો તો 'આંકડાની ગણત્રીની તપાસ’ની ઘેલી વાત કરે ? અને વધારાના પૈસા અનામત મૂકવાની જે માગણીને દેશમાં વિનીત પક્ષના પણ એકે નેતાએ ટેકો નહોતો આપ્યો, અરે 'પાયોનિયર' અને ‘સ્ટેટસમેન' જેવાં અંગ્રેજી છાપાંઓએ પણ ટેકો નહોતો આપ્યો. તે માગણીને સરકાર વળગી રહી તેમાં ગાંધીજીના શબ્દોમાં કહીએ તો સરકારની કુબુદ્ધિ અને અલ્પતા તરી આવતી હતી.

સમાધાનીના પ્રયત્નના એ પાખંડને બીજા કોઈ પણ માણસે ધુતકારી કાઢ્યુ હોત, અને શાંત થઈને પોતાને કામે વળગી ગયા હોત. પણ શ્રી. વલ્લભભાઈને તો સંધિનો એકે માર્ગ જતો નહોતો કરવો. તેમણે એક કાગળ લખી સરકારને બીજી સંધિ આપી, જે કાગળની સભ્યતા અને નરમાશ સરકારને ધડો આપે એવાં હતાં. તેમણે જણાવ્યું: ‘‘તપાસ નિમાય અને તેનું પરિણામ આવે તે અગાઉ જ વધારાનું મહેસૂલ ભરી દેવાની વાત કરવી એમાં પ્રજાનો અવિશ્વાસ અને આગેવાનોની સચ્ચાઈ વિષે શંકા દીસી આવે છે. જો લોકો લબાડ હશે તો તેમની વલે કરવા અને તેમનો આગેવાન ખોટો માણસ હશે તો તેને પૂરતી સજા કરવા સરકારની પાસે જોઈએ તેટલી સામગ્રી છે. વધારો ભરી દેવાનો,

૨૩૪