પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
જેને રામ રાખે

“રાક્ષસી પ્રયોગ કરનારને સત્યના પ્રયોગની સૂઝ ન પડે. એટલે સરકાર હવે મુંઝાય છે અને વિચાર કરે છે કે આ લોક તે કેવા ? મારામારી કરતા નથી કે લડતા નથી.”

સરકારે વિકરાળ કાળિકાનું રૂપ ધર્યું હતું. લશ્કરી અમલદારો બારડોલીમાં આવીને લશ્કરી રચના કેવી રીતે થાય તે જોઈ ગયા હતા. લશ્કરનો પડાવ આવે તેને ચોમાસામાં રહેવાને માટે સરસામાન, ટારપૉલિન વગેરે સૂરતથી બારડોલી ચડવાની વાટ જોવાની હતી. ગાંધીજીએ પણ લોકો આટલો બધો તાપ અસહ્ય થઈ પડે તો શું થાય એ પ્રશ્ન પોતાના મન સાથે પૂછીને પોતે જ જવાબ આપ્યો હતો : “જો ત્રાસ અસહ્ય થઈ પડે તો લોકોએ જેને પોતાની જમીન માની છે તેનો ત્યાગ કરી તેમણે હિજરત કરવી જોઈએ. જે ઘરો કે લત્તામાં પ્લેગના ઉંદર પડ્યા હોય કે કેસ થયા હોય છે, તેનો ત્યાગ કરવો એ ડહાપણ છે. જુલમ એક જાતનો પ્લેગ છે, એ જુલમ આપણને ક્રોધ કરાવે અથવા નબળા પાડે એવો સંભવ હોય તો જુલમનું સ્થાન છોડીને ભાગવું એ ડહાપણ છે.” પણ આપણે જોશું કે ખેડૂતો તો બારડોલીને માટે અભેદ્ય કિલ્લો બનાવીને તેમાં સુરક્ષિત બેઠા હતા.

બારડોલી બહાર સ્થિતિ જુદી હતી. ગવર્નરની અને અર્લ વિંટર્ટનની ધમકીઓ બારડોલી બહાર કેટલાક વર્ગોને ચીડવ્યા

૨૪૨