પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩ જું
બારડોલીમાં શું બન્યું ? — સરકારપક્ષ
 


તપાસ કરી તેના રદિયા તૈયાર કરવાને માટે એક કમિટી નીમી. તેના પ્રમુખ ભાઈ નરહરિ પરીખ હતા. કમિટીએ રિપોર્ટની નકલની ગમે એટલી કિંમત આપવાનું કહ્યું, પણ ભાઈ નરહરિને તાલુકા કચેરીમાં જઈને રિપોર્ટ વાંચવો હોય તો વાંચી જાય અને તેમાંથી ઉતારા કરવા હોય તો કરવા એમ કહેવામાં આવ્યું. આ પ્રમાણે ઉતારા લઈ રિપોર્ટનો અભ્યાસ કરી, કમિટી તાલુકામાં ફરી વળી અને સેટલમેન્ટ ઑફિસરે જણાવેલી હકીકતોને ખોટી પાડનારો પુરાવો ભેગો કર્યો, અને ભાઈ નરહરિ પરીખે ‘નવજીવન’માં એક લેખમાળા લખીને રિપોર્ટની વિસ્તીર્ણ સમાલોચના કરી. ગુજરાત મહાવિદ્યાલયના અધ્યાપક શ્રી. મલકાનીએ ‘યંગ ઇડિયા’માં એવા જ કેટલાક લેખો લખ્યા.

આટલું કરીને બેસી ન રહેતાં બારડોલીના ખેડૂતોએ ૧૯ર૭ ના જાન્યુઆરી મહિનામાં એક પરિષદ ભરી અને રા. બ. ભીમભાઈ નાયક અને શ્રી. શિવદાસાનીની આગેવાની નીચે સરકારને એક ડેપ્યુટેશન મોકલવાનો ઠરાવ કર્યો. ૧૯૨૭ ના માર્ચ મહિનામાં આ સભ્યો કેટલાક ખેડૂતોને લઈને રેવન્યુ મેમ્બર મિ. રૂને મળ્યા. મિ. રૂએ તેમને ગયા હતા તેવા જ વિદાય કર્યા. એ જ વરસના મે માસમાં રા. બ. ભીમભાઈ નાયકે સેટલમેન્ટ ઑફિસરના રિપોર્ટનો વીગતવાર જવાબ આપનારી એક લાંબી અરજ સરકારને મેકલી. તે પણ દફતરે નંખાઈ. ૧૯૨૭ ના જુલાઈ મહિનામાં સરકારે એક ઠરાવ બહાર પાડ્યો. તેમાં તેમણે સેટલમેન્ટ કમિશનરની સૂચના પ્રમાણે ગામડાંનું નવું વર્ગીકરણ બહાલ રાખ્યું અને સેટલમેન્ટ અમલદારની માલના વધેલા ભાવની દલીલ સ્વીકારી અને સેટલમેન્ટ કમિશનરના સૂચવેલા ૨૯ ટકાના વધારાને બદલે અને સેટલમેન્ટ ઑફિસરે સૂચવેલા ૩૦ ટકા વધારાને બદલે ૨૨ ટકા વધારો સૂચવ્યો. ૨૨ ટકા વધારો સૂચવવાનું કારણ સરકારે એ જણાવ્યું કે રૂના ભાવમાં ભવિષ્યમાં થનારો ઘટાડો ધ્યાનમાં લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી જેમણે જેમણે આ વધારા સામે વાંધા ઉઠાવ્યા હતા તેમની પાસે શ્રી. જયકરનો રિપોર્ટ જ હતો, મિ. એંડર્સનના

૧૯