પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
અભિનંદન

“બાપુનો સંદેશ ભાંગ્યોતૂટ્યો પણ લોકોને પહોંચાડનારા કેટલા ઓછા છે ? બાકી કોણ આપણે ? આપણે કર્યું શું ? બાપુએ નાહકના ચડાવી માર્યા.”

માધાનની વાત દેશમાં વીજળીની જેમ ફરી વળી, અને સરદાર ઉપર અભિનંદનના તારો વરસ્યા તથા દેશનાં સઘળાં વર્તમાનપત્રોમાં પ્રશંસાના લેખો ઊભરાયા.

એ બધાનો અહીં ઉલ્લેખ કરવો તો શક્ય નથી, પરંતુ લડતના અંત વિષેના મુખ્ય મુખ્ય નેતાઓના અભિપ્રાય ટાંકીશ. અહીં જે પુષ્પોની નાની માળા હું ગૂંથવા ધારું છું તેમાં સૌથી અગ્રસ્થાન શ્રીમતી સરોજિની દેવીના અભિનંદનને ઘટે છે. ગાંધીજી ઉપરના પત્રમાં તેમણે લખ્યું હતું:

“જેના ઉપર આવી પડે તેને રાત્રે કેવા આકરા ઉજાગરા કરવા પડે છે તેની જગતને ક્યાં ખબર પડે છે ? બારડોલીના લોકોએ રાતોની રાતો સુધી એવા કેટલાય આકરા ઉજાગરા કર્યા છે ! … પણ મને આનંદ થાય છે કે આજે રાત્રે તો એ ભયાનક દિવસોમાં જે લોકોએ ઊંઘ અને આરામ જાણ્યો નથી તેમને મીઠી નિદ્રા આવશે અને તેથીયે અધિક મીઠાં સ્વપ્નો આવશે. … સત્યાગ્રહીનું કાર્ય સમાપ્ત થયું એટલે તેને જે મીઠી નિદ્રા આવે છે તે તો દેવોની જ દીધેલી હોય છે. જર્મન ફિલસૂફના શબ્દો તમે જાણો છો ? — ‘તમારું કાર્ય એટલે યુદ્ધ, અને તમારી શાંતિ એટલે વિજય.’ બારડોલીમાં પણ એમ જ થયું. બારડોલીમાં આજે શાંતિની અને યુદ્ધના શાંત માર્ગની વિજયપતાકા ફરકે છે. … હમણાં જ મેં તમારા સત્યાગ્રહના ઇતિહાસનાં હૈયાને હલાવનારાં અને તાદૃશ

૨૫૮