પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


બારડોલીમાં સત્યાગ્રહસેના હતી તેવડી જ કાયમ રાખી છે, સરદાર સમાધાની થઈ છે એમ માનતા નથી, એટલું જ નહિ પણ તે અને તેમના સાથીઓ તપાસસમિતિને માટે પુરાવા એકઠા કરી રહ્યા છે, અને સમિતિની આગળ ઘણા ખેડૂતો પુરાવો આપે એમ ઈચ્છતા નથી, કારણ એકબીજાને તોડે એવો પુરાવો આપે તો તેમનો કેસ માર્યો જાય. આમાંથી એક વાત સત્ય નહોતી. કારણ શ્રી. વલ્લભભાઈ તો આખો વખત બારડોલીની બહાર હતા, અને તેમણે આ લેખ જોયો એટલે તુરત એનું પોકળ ખોલનારું એક નિવેદન બહાર પાડ્યું. વલ્લભભાઈનું આ નિવેદન એ વર્તમાનપત્રે પ્રસિદ્ધ તો કર્યું, પણ આગલાં જૂઠાણાં માટે ન દિલગીરી બતાવી કે તે ખેંચી લીધાં. ઊલટાં પેલાં મૂળ જૂઠાણાં લંડન જેમનાં તેમ તારથી મોકલવામાં આવ્યાં ! અને આ બધું બારડોલીની તપાસસમિતિના સભ્યોની નિમણૂક થઈ તેના બેપાંચ દિવસ અગાઉ.

આમ તપાસને ખરાબ કરનારા આવા પ્રયત્નો શ્રી. વલ્લભભાઈ સાંખી શક્યા નહિ એટલે તેમણે સરકારના રેવન્યુ મેમ્બરને એક કાગળ લખીને પુછાવ્યું કે કમિટીમાં કયા અમલદારોને નીમવા ઈચ્છો છો. તેમણે એ પણ જણાવ્યું કે સમાધાનીની આખી મસલત દરમ્યાન તેમની અને બીજા મિત્રોની સમજ એવી હતી કે ન્યાયખાતાનો અમલદાર મિ. ડેવીસ નીમવામાં આવશે, અને એની સામે શ્રી. વલ્લભભાઈને વાંધો નહોતો. સરકારે આ વાતનો તદ્દન ઇનકાર કર્યો. મિ. બ્રૂમફીલ્ડ અને મિ. મૅક્સવેલની નિમણૂક જાહેર કરી, પણ શ્રી. વલ્લભભાઈને તાર કર્યો કે પૂના આવી જાઓ તો મિ. ડેવીસને નીમવામાં અડચણો છે તે સમજાવવામાં આવે. શ્રી. વલ્લભભાઈ ગયા — સરકારની પાસે ખુલાસો મેળવવાની આશાથી નહિ પણ પેાતાને એક પ્રકારનો વસવસો રહેતો હતો તે દૂર કરવા. જ્યારે સમાધાનીની શરતો નક્કી થઈ ત્યારે સર ચુનીલાલ મહેતા અને વલ્લભભાઈની વચ્ચે કેટલીક બાબતો વિષે ચોખ્ખી સમજ હતી — એમાંની એક મિ. ડેવીસની નિમણૂક હતી, અને બીજી સત્યાગ્રહ દરમ્યાન ચેાથાઈ વગેરે જે દંડો ખેડૂતોની

૨૬૪