પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


અમદાવાદમાં ગાંધીજીને વlલભભાઈની સ્તુતિ કરવાની, અને વlલભભાઈ ને બધી સ્તુતિ સાંભળી ગાંધીજીની સમક્ષ માનપત્ર લેવાની મૂંઝવણ આવી પડે એમ હતું. તેનો બંની કેમ નિકાલ કર્યો તે તો બંનેનાં ભાષણો અક્ષરશ : બીજે ઠેકાણે ઉતાર્યાં છે તેથી સમજાશે. (જુઓ ‘અમૃતવાણી’વાળા ભાગમાં)

વિજયની ઉજવણીમાં રખેને કોઈ ભાન ભૂલે, રખેને કોઈ આંખ આગળ પડેલું કર્તવ્ય વીસરીને નિદ્રામાં પડે એ ખાતર પ્રજાને ગંભીર ચેતવણી આપનારા ગાંધીજી અને વલ્લભભાઈના ઉદ્‌ગારો સ્વરાજય મળ્યા પછી પણ લોકો પેઢી દરપેઢી સુધી યાદ કરશે. (જુઓ બારડોલીનું, સૂરતનું અને અમદાવાદનું ભાષણ — ‘અમૃતવાણી’વાળા ભાગમાં.)

શહેરીઓએ કરેલાં સ્વાગત

બારડોલીની લડતથી શહેરીઓ પણ ઘેલા થયા હતા, અને ક્રિકેટની મૅચ જીતીને આવતા ખેલાડીઓને ખાંધે ચડાવીને માન આપતા પ્રેક્ષકોની યાદ આપતા હતા. સૂરત અને અમદાવાદનાં સ્વાગત જોઈને કોઈ મશ્કરો એમ કહે કે ‘તમે એકવાર લડી દો, પછી વાજા વગાડી, સરઘસ કાઢી, વિજય ઊજવવાનું કામ અમારું છે એમ શહેરો સંદેશો આપતાં લાગે છે,’ તો તેનો ભાગ્યે જ કોઈ વાંક કાઢશે. પણ શહેરો સત્યાગ્રહની જીત આવી રીતે ઉજવે એ પણ ઉત્સાહ આપનારી વાત તે છે જ.

સૂરતે તો દીવાળી ઉજવી, સૂરતની રોશની અને સૂરતના શણગાર, સૂરતની પચીસ હજાર માણસોની અપ્રતિમ શાંતિભરી સભા લોકોની સમૃતિમાંથી નહિ ખસે. અમદાવાદે પણ સરદારનાં સન્માન કરવામાં કશી કચાશ ન રાખી. શ્રી સરલાદેવીએ સ્ટેશને સરદારનાં ઓવારણાં લીધાં, અને મિત્રોએ સોનેરી હારો આપ્યા. કોઈએ મેતીએ વધાવ્યા, કોઈએ લાખો રૂપિયાના મોતીનાં તોરણના શણગાર કર્યા. મંગળદાસ શેઠે પેતાના ભાષણમાં સત્યાગ્રહનો વારંવાર ઉલ્લેખ કર્યો ત્યારે તો જમાનો પલટાયો છે એમ ઘણાને લાગ્યું હશે. પણ એમ એકાએક જમાનો પલટાઈ ગયો છે એમ

૨૭૬