કરનારા સ્વયંસેવકો હોય ત્યાં આવા વિજય મેળવવા એ હું ભારે નથી. માનતો. આમાં રાજ્યની સત્તા પર હાથ નાંખવાનો નહોતો, અમુક અન્યાયના સંબંધમાં ઇન્સાફ જ માગવામાં આવ્યા હતા. મારો વિશ્વાસ છે કે આ સત્યાગ્રહની રીતે આવા ઇન્સાફ જેટલી સહેલાઈથી મેળવી શકાય છે તેટલી સહેલાઈથી બીજી કોઈ રીતે મેળવવા શક્ય નથી.
હિંદુસ્તાને આ લડતથી આટલું આશ્ચર્યચકિત થવાનું કંઈ કારણ નથી. પણ તેને આશ્ચર્ય લાગ્યું તેનું કારણ છે. સત્યાગ્રહ પરનો વિશ્વાસ ડગી ગયો હતો. હિંદુસ્તાન પાસે તેનો આટલો જબરદસ્ત બીજો દાખલો નહોતો. બોરસદનાગપુરના દાખલાઓ થઈ ગયા એ ખરું. અને મેં કોઈ જગાએ હજુ દર્શાવ્યું નથી, છતાં હું માનું છું કે નાગપુરનો વિજય પણ સંપૂર્ણ હતો. આપણે સારે કે નઠારે નસીબે તે વખતે આપણને 'ટાઇમ્સ ઑફ ઇંડિયા’ના પ્રતિનિધિ જેવો આપણી જાહેરાત કરનાર કોઈ ન મળેલો. તેની વગોવણીથી હિંદુસ્તાનમાં જ નહિ, પણ આખા જગતમાં બારડોલીની પ્રસિદ્ધિ થઈ છે. બાકી આપણે કંઈ એવું ભારે કરી નાંખ્યું નથી. ભારે તો ત્યારે કર્યું ગણાશે કે જ્યારે ૧૯૨૨ ની અધૂરી રહી ગયેલી પ્રતિજ્ઞાનું પાલન કરીએ. ત્યારે જ બારડોલી પર કલંક આવ્યું છે તે દૂર થાય. પણ મેંં એ શબ્દ પાછો વાળી લીધો. કલંક આપણે ન કહીએ, કારણ બારડોલીમાં ન થયું તે કંઈ બારડોલી બહાર પણ ક્યાંયે આપણે કરી શક્યા નથી. પણ એને જવાબદારી ઉઠાવવાની કહો કે કલંક ધોવાનું કહો તેનો સમય હજુ બાકી જ છે. એ કરવામાં આ લડત મદદરૂપ થઈ પડશે તે માટે મેં તેને વધાવી લીધી છે.
આપણ કેવું સદ્ભાગ્ય કે બારડોલીમાં જ આવી લડતનો પ્રસંગ આપણને મળ્યો ને તેમાં સંપૂર્ણ સફળતા પણ પ્રાપ્ત થઈ. જે માગ્યું તે સોળેસોળ આના મળ્યું. આપણે માગી તેનાથી બીજી ઘણી શરતો માગી શકતા હતા, તપાસની શરતોમાં આપણે કહી શકતા હતા કે મહેસૂલ ઉઘરાવતાં જે જે જુલમો કરવામાં આવ્યા છે તેની તપાસ કરવી જોઈએ. પણ એવી માગણી આપણે નથી કરી એ વલ્લભભાઈની ઉદારતા. સત્યાગ્રહીને તાત્વિક વસ્તુ મળે એટલે તે રાજી થાય છે, અને લોભ કે આગ્રહ રાખતો નથી.
ત્યારે હવે આપણે શું કરવું ? આ ઉત્સવને આત્મનિરીક્ષણનો અવસર બનાવી દઈએ. જે સ્વયંસેવકો આ લડત પૂરતા જ આવ્યા હતા, લડત