પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 

આટોપાય કે તરત પાછા જવાનું ધારીને આવ્યા હતા, તે જાય જ. પણ જેને તેમ જવાની જરૂર નથી, જે સ્વયંસેવક ઉપર વલ્લભભાઈની નજર ઠરી હોય તેઓ તો અહીં જ રહે, અને એમ જાણે કે આ જ કામ કરવાયોગ્ય છે. એ કામ તમારી કસોટી કરનારું નીવડશે.

યોદ્ધાઓ કેવળ લડાયક હોય છે?

જો કોઈ એમ જાણતા હો કે હિંદુસ્તાનનું સ્વરાજય લડાયક થઈને જ લઈ શકાશે તો તે ભ્રમ છે એમ હું કહેવા ઇચ્છું છું. હિંસક લડાઈમાં પણ યોદ્ધાઓ આખો વખત યુદ્ધના જ વિચાર કરતા હશે એમ કોઈ માનતું હોય તો તે ભૂલ છે. ગૅરબાલ્ડી તો ઇટાલીનો મહાન સેનાપતિ થઈ ગયો. લડવામાં તે ભારે વીરતા બતાવી ગયો; પણ લડાઈ ન હોય ત્યારે તો તે હળ હાંકીને ખેતી કરતો હતો. દક્ષિણ આફ્રિકાનો જનરલ બોથા કોણ હતો? બારડોલીના ખેડૂત જેવો એક ખેડૂત હતો. ૪૦ હજાર તો તે ઘેટાં રાખતો, ઘેટાંની તેના જેવી પરીક્ષા કોઈ ભરવાડ પણ કરી શકતો નહિ. તે વિદ્યામાં તે પારિસની પરીક્ષામાં પાસ થયો હતો. તેણે લડવૈયા તરીકે નામના કાઢી, પણ લડાઈના પ્રસંગ તો તેની જિદંગીમાં એાછા હતા. રચનાત્મક કામમાં જ જિંદગીનો વધુ ભાગ તેણે ગાળ્યો હતા. એટલો મોટો ધંધો ચલાવનારને કેટલી રચનાકૌશલ્યની જરૂર પડી હશે ! ત્યારપછી જનરલ સ્મટ્સનો દાખલો લઈએ. એ એકલો જનરલ જ નથી, એ તો ધંધે વકીલ છે. વકીલાતમાં ઍટર્ની જનરલ હોવા સાથે એટલો જ કુશળ ખેડૂત હતો. પ્રિટોરિયા પાસે તેની વિશાળ જમીનદારી આવેલી છે, ત્યાં જેવી સુંદર ફળફળાદિની વાડી છે તેવી એ આખા પ્રદેશમાં બીજા પાસે ભાગ્યે જ હશે. આ બધા જગતના જાણીતા જનરલો હોવા છતાં રચનાત્મક કાર્યના ફાયદા સારી પેઠે સમજેલાનાં દૃષ્ટાંતો છે.

આ બધી જાહોજલાલી દક્ષિણ આફ્રિકામાં કાંઈ મૂળથી નહોતી. ત્યાં તો હબસી લોકો રહેલા. પછી નવા લોકોએ આવીને મુલક વસાવ્યો. પણ શું તેઓએ લડાઈ કરીને વસાવ્યો હતો ? લડાઈથી તો મુલક સર કરાય, પણ વસાવાય તો રચનાત્મક કાર્યથી જ. તમે સૌએ લડતમાં તો વલ્લભભાઈની સરદારી સ્વીકારી. હવે રચનાત્મક કાર્યમાં પણ વલ્લભભાઈની સરદારી સ્વીકારી શકશો ખરા? એ તમારાથી બની શકશે? એ નહિ બને તો કરી કમાણી ધૂળ મળવાની છે એ યાદ રાખજો. પછી થોડા લાખ રૂપિયા બારડોલીના ખેડૂતોના બચ્યા તોયે શું, અને ન બચ્યા તોચે શું?

૨૮૦