પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તાલુકાની સામાન્ય સ્થિતિ
 

 ખૂબી તો એ છે કે જે રેલ્વેથી આજે પણ કશો લાભ નથી થતો એમ આ અમલદારો કહે છે તે જ રેલ્વેમાંથી થનારો નફો ધ્યાનમાં લઈને ૧૮૯૬માં દર બાંધવામાં આવ્યા હતા. એટલે એ દર પણ કેટલા આકરા હશે ! પણ એ દર કેટલા આકરા હતા તેનો નિર્ણય કરવાનું આ અમલદારોનું કામ નહોતું એટલે એવી નોંધ તેઓ શેની જ કરે !

મોટરો દાખલ થવાથી તો ખેડૂતને નફો થવાને બદલે ખોટ ગઈ છે એમ અમે ચોર્યાસી તાલુકાનાં એક ગામમાં સ્પષ્ટ બતાવી શક્યા હતા. ગાડાંની મજૂરી મળતી તે ઓછી થઈ અને ઘોડા માટે લીલું ઘાસ ખપતું તે ઓછું થયું - અને એ વાત અમલદારોને પણ બરાબર લાગી છે.

બજારોને વિષે શ્રી. જયકરે તો કશો વિચાર જ કર્યો નહોતો. આ અમલદારો બધે જ બજારોની તપાસ કરતા, કપાસ ક્યાં વેચો છો, ઘાસ ક્યાં વેચો છો, બીજી વસ્તુઓ કયાંથી લાવો છો, એવા એવા સવાલો પૂછતા. પરિણામે એઓ એવા નિશ્ચય ઉપર આવ્યા કે ઘણો કપાસ લોકો નવસારી ને જલાલપોર લઈ જાય છે, લોકોને રસ્તાની બહુ પડી નથી, પણ જ્યાં ભાડાના પૈસા જેટલું પણ વધારે મળે ત્યાં તેઓ જાય છે. પણ શ્રી. જયકરે બારડોલી, મઢી, વાલોડ, કમાલછોડ અને બુહારીનાં જીન જાણે સરખાં જ અગત્યનાં હોય એમ વાત કરીને મઢી, વાલોડ, કમાલછોડ અને બુહારી અને તેની પાસેનાં ઘણાં ગામના દર વધાર્યા હતા તે વાતની ઉપર સારી ટકોર કરી. એ બીજાં જીનોમાં કશું દૈવત નથી, કમાલછોડનું બંધ થયું છે, બુહારીમાં કપાસ થતો નથી -અને બુહારીના જીનના કોઈ ભાવ પૂછતું નથી એવો અમે પુરાવો રજૂ કર્યો હતો તે સાહેબોએ સ્વીકાર્યો અને શ્રી. જયકરે ચડાવેલાં ગામડાંના વર્ગો રદ કર્યા.

શ્રી. જયકરે 'ઘાસ તો ઢગલેઢગલા થાય છે અને સૂરત બજારમાં વેચાવા જાય છે, જ્યાં તેની ખૂબ કિંમત આવે છે' એમ લખેલું. બારડોલીનાં પ૦ ગામો તપાસ્યાં ત્યાં ક્યાંયે સાહેબોને એક તણખલું ઘાસ બહાર જતું હોય એમ ન માલૂમ

૩૦૭