પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


રહેતો તે આજે બસો કે ત્રણસો રૂપિયે પણ નથી મળતો. આ બધું ઝટ ઘટવાનું નહિ, અને માલના ભાવ તો ઘટતા ચાલ્યા જ છે ” ( ભાઈ નરહરિકૃત ‘બારડોલીના ખેડૂતો’ ).

૭. ખેતીની મજૂરી બમણી નહિ પણ ચારગણી વધી છે. પણ એ તો મહેસૂલ ઓછું કરવાના પક્ષમાં દલીલ છે, એ કોઈ પણ સામાન્ય અક્કલનો માણસ સમજી શકે.

૮. “જમીનની કિંમતમાં વધારે થયો તે લડાઈ પછીનાં વરસોમાં થયો છે. તે વખતે કપાસના ભાવ એટલા વધી ગયા કે લોકોને કપાસની ખેતીમાં મોટો નફો દેખાવા માંડ્યો. તેમાં વળી પરદેશથી ધન કમાઈ લાવ્યા હોય તે લોકો જમીન સંપાડવા ઉત્સુક હોય. જેની પાસે કાંઈ જમીન હોય તેની કોમમાં આબરૂ ગણાય. એટલે આવા લોકો મોંમાગ્યાં દામ આપીને જમીન ખરીદવા પાછળ પડ્યા. તેમાં ભારે ભાવની અંજામણ તો હતી જ. એટલે જમીનના ભાવ કૃત્રિમ રીતે વધેલા છે એમ કહી શકાય. ભાવ ઊતરતાંની સાથે આજે જમીનની કિમ્મતમાં ૨૫ ટકા ઘટાડો થઈ ગયો છે; પણ ખેતીમાંથી નફો ન હોય તો જમીનની કિંમત વધારે કેમ રહી શકે એ કોયડો સરકારી અમલદારને ઝટઝટ ન ઊકલી શકે. માનવલાગણીનો જેમાં વિચાર નથી કરવામાં આવતો એવા પશ્ચિમના અર્થશાસ્ત્રથી રંગાયેલા સરકારી અમલદાર તો જરૂર એવી દલીલ કરે કે જે જમીનમાંથી સારી પેદાશ ન થતી હોય તો લોકો શું કામ જમીનમાં પૈસા નાંખે ? પોતાનાં નાણાં વ્યાજે કેમ ન ફેરવે ? હકીકત એવી છે કે જે ખેડૂતના શહેરની બૅંકમાં પચાસ હજાર રૂપિયા પડ્યા હોય તેના કરતાં જે ખેડૂત પાસે પચાસ વીઘાં જમીન હોય તેની આબરૂ કોમમાં વધારે ગણાય છે. એટલે શહેરમાં ગમે તેટલું વ્યાજ મળતું હોય તોપણ ખેડૂત પોતાનાં નાણાં જમીનમાં જ રોકવાનું પસંદ કરે છે. ‘વતન’ શબ્દની પાછળ એક એવી ભાવના રહેલી છે. જે ભાવના ખેડૂતને પોતાના વતનમાં જમીન સંપાડવા વાજબી કરતાં વધારે દામ આપવા

પ્રેરે છે. પરંતુ આ વસ્તુ સરકારી અમલદારના સમજવામાં શી

૨૬