પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩જું
ખેતીનો નફો !
 

 આ ઉપરથી દેખાશે કે મજૂરીનો આંકડો ગણવામાં આવ્યો નથી છતાં એ ખેડૂતની પાસે રૂ. ૮૭૭ એાછા રૂ. ૫૭૦ એટલે રૂ. ૨૬૭ રૂપિયા રોકડા રહ્યા. ઉપરાંત ભાત, જુવાર, વાલ, અને દાળ મળીને ૨૮૬ રૂપિયાની કિંમતનો દાણો એના ઘરમાં રહ્યો, જેમાંથી એને ૪ દૂબળાનું અને પોતાના કુટુંબનું પોષણ કરવાનું અને ૧૪૫ રૂપિયા મહેસૂલ ભરવાનું, એટલે કે ૨૬૭ + ર૮૬ − ૧૪૫ = ૩૦૮ રૂપિયામાં એણે પોતાનું, પોતાના કુટુંબનું અને ચાર દૂબળાનું પોષણ કરવાનું ! એ પણ એ કેમ કરતો હશે તે ભગવાન જાણે ! ગાયભેંસમાંથી થતી અને બીજી સગાવહાલાંના પગારની કમાણી વિના એ ખેડૂતની ખેતી અને તેનું જીવન અશક્ય થઈ પડે એ વિષે શંકા નથી.

કમાલછોડના આવકખર્ચના આંકડા વિષે ટીકા કરતાં અમલદારો લખે છે :

“નફો માત્ર ૩ રૂપિયા ૫ આનાનો બતાવ્યો છે, પણ સરવાળે ખોટ જ છે એમ કહેવામાં આવે છે, કારણ કપડાંનો ખર્ચ અને ઘસારો તો ગણવામાં જ આવ્યો નથી. અમને આટલી બધી નિરાશાજનક સ્થિતિ કલ્પી લેવાનું કારણ લાગતું નથી. અમને એક ઠેકાણે કહેવામાં આવ્યું હતું કે એક જોડ બળદ અને બે ભેંસ મળીને ૧૦૦ રૂપિયાનું ખાતર આપે. આ માણસને ૬૦ રૂપિયાનું જ ખાતર મળે છે એમ જણાવવામાં આવ્યું છે એ ઓછું લાગે છે, એમાં જ ૪૦ રૂપિયા ઓછા બતાવવામાં આવ્યા, જે ગણવામાં આવ્યા હોત તો રૂ. પ૮–૭ મહેસૂલ ભરવાનું છે તેમાંથી તેટલા ઓછા થાતના ! પણ સાચી વાત તો એ છે કે ખેડૂતને પોતાની જમીનમાંથી રોજના ૭ શેર ચોખા અને પાા શેર જુવાર પાકે છે, જેમાંથી એને બે માણસ, એક સ્ત્રી અને એક છોકરાને જ ખવડાવવાનું છે. આ બધા અનાજની કિંમત જમા બાજુએ રૂ. ૧૯૧–૧૪–૦ બતાવવામાં આવી છે. જ્યારે ઉધાર બાજુએ રૂ. ૧૧૨–૮ અને રૂ. ૨૩૪ મળીને રૂ. ૩૪૬–૮ ખાધાખાઈના બતાવવામાં આવ્યા છે. હવે એ માણસને ખાધાખાઈને માટે રોકડું તો જૂજ જ ખરચવાનું હોય, એટલે કે ૩૪૬–૮ બાદ ૧૯૧–૧૪–૦ ના થોડા જ ટકા જેટલું ખરચવાનું હોય, એટલે એને કપડાંના અને ઘસારાના પૈસા સહેજે મળી રહે. આમ વિંરાધી પક્ષ તરફથી આવતો, આવકખર્ચની બંને બાજુ મેળવવાની મુશ્કેલીનો, આ સરસ દાખલો છે.”

૩૨૭