પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગૂંચઉકેલ ?

અમારો નફાતોટાનો હિસાબ તો અમલદારો ખોટો ન પાડી શક્યા, પણ મુંઝવાઈ રહ્યા. નાતાલની રજા સુધી એમની એ મૂંઝવણ ચાલુ રહી, છેલ્લી વાતચીત થઈ ત્યારે પણ તેમણે કહ્યું હતું કે ગણોતને અધારે મહેસૂલ ઠરાવવાના સિદ્ધાન્ત ઉપર અમને વિશ્વાસ નથી પણ એ સિદ્ધાન્ત ઉપર વિશ્વાસ ન હોય, અને અમારો હિસાબ એમને મૂંઝવનારો લાગતો હોય તો એ ગૂંચ ઉકેલવી શી રીતે ? એ ગૂંચ એમણે પાછા ગણોતના માર્ગે જ ઉકેલી. એ ગૂંચ ઉકેલતાં એમને ઘણી વાતોનું દર્શન થયું અને એ વાતની ઉપરનું વિવેચન એ અમલદારોના રિપોર્ટનો અમોલો ભાગ છે. અમલદારોની નફોતોટો શોધવાની દાનત નહોતી એમ નહિ, પણ એ શેાધતાં તો તેમને આખું વરસ કદાચ તાલુકામાં ગાળવું પડે અને અમારા આંકડાને ખૂબ છણવા પડે એટલે એ વાત જ એમણે પડતી મૂકી. માણસ પોતાની જમીન ખેડવાને બદલે અમુક રૂપિયે ગણોતે આપતો હોય તો તેટલી આવક એ એને જમીનમાંથી શુદ્ધ નફો થાય છે, અને તેને એટલો શુદ્ધ નફો થાય એટલે જે જમીન બીજાને ખેડવા ન આપતાં પોતે જ ખેડે છે તેને પણ એટલો નફો થતો હોવો જોઈએ એમ સ્વીકારી લીધે જ છૂટકો છે એમ અમલદારોને લાગ્યું. એ સિદ્ધાન્તની સાથે લડવાને માટે અમારી લડાઈ નહોતી, અમારે તો ચાલુ કાયદો અને ચાલુ રીતિ પ્રમાણે તપાસ કરવામાં આવે તો પણ બારડોલીને અન્યાય થયો છે એ બતાવવું હતું. તાલુકાની સામાન્ય સ્થિતિવાળા પ્રકરણમાં એ અન્યાય એક દૃષ્ટિએ સિદ્ધ થયેલો બતાવવામાં આવ્યો. હવે આ પ્રકરણમાં બીજી રીતે એ અન્યાય કેમ સિદ્ધ થયો એ જોશું, અને અમલદારોએ પોતાની ગૂંચ કેવી રીતે ઉકેલી તે જોશું.

પહેલા પ્રકરણમાં શ્રી. જયકરે ઉટાંગ આંકડા કેવા ઊભા કીધા છે તેનો પહેલો દાખલો અમલદારોએ તપાસેલા પહેલા જ

૩૩૦