પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


વળી મામલતદારનો એક હુકમ આ વસ્તુ ઉપર વધારે અજવાળું પાડે છે. આ હુકમની ઉપર ૨૩ મી ઑક્ટોબરની તારીખ છે. એમાં ૨૭ મી ઑક્ટોબરે બધાં પત્રકો લઈને પટેલતલાટીને તાલુકે હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. કારણ, ‘તમે તૈયાર કરેલાં વેચાણનાં પત્રકોની મારે મેળવણી કરવાની છે.’ વાંચનારે જો આ ચર્ચાનો બરાબર અભ્યાસ કર્યો હશે તો તેને યાદ હશે કે શ્રી. જયકરે પોતાનો રિપોર્ટ પહેલો મિ. ઍંડર્સનને જોવા મોકલ્યો હતો, પછી તે જોઈને તેને સુધારવાની તેમણે કેટલીક સૂચના કરી, તે પ્રમાણે સુધારીને તેમણે તે પાછો જોવા મોકલ્યો, અને આખરે નવેંબરમાં તે સરકારી રીતે રજૂ કરવામાં આવ્યો. પેલો સુધારીને મોકલવાનો હુકમ શ્રી. જયકરને આવ્યો ત્યારે તેઓ કલેક્ટરપદું કરતા હતા એટલે તેમનાથી કેમ તપાસણી થઈ શકે ? એટલે તેમણે કર્યો મામલતદારને હુકમ, અને મામલતદારે પટેલતલાટીને તાલુકે બોલાવેલા. પણ એ તપાસણીને વિષે મિ. ઍંડર્સન કહે છે : “આ આંકડા મામલતદારે મેળવ્યા છે અને તપાસ્યા છે એમ તુમારમાંથી દેખાય છે. હવે મામલતદારની એ મેળવણીનો અર્થ તેમના એકાદ કારકુને અથવા સર્કલ ઇન્સ્પેક્ટરે કરેલી મેળવણી હોય છે. સેટલમેંટ અમલદાર તે પોતે વેચાણ અને ગણોતના આંકડા તપાસે એવી આશા રખાય છે તેને બદલે પેલા સર્કલ ઇન્સ્પેક્ટર કે કારકુનની તપાસણી કેમ ચાલે ?”

છેવટે ખેતીના ઉત્પન્નના ભાવમાં વધારો થવાને લીધે ૧૫ લાખ રૂપિયાનો લાભ ખેડૂતોને થયો એ દલીલનું બેહૂદાપણું તો આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા તેમ મિ. ઍંડર્સને પોતાના રિપોર્ટમાં એવી સરસ રીતે બતાવ્યું છે કે તેને વિષે વધારે લખવાની જરૂર જણાતી નથી.

આ તો શ્રી. જયકરે આધાર રાખેલી હકીકતનું પૃથક્કરણ થયું. મિ. ઍંડર્સને તો ગણોતના આંકડા ઉપર જ આધાર રાખ્યો હતો. આજે જમાબંધીની જે કલમો છે તે મુજબ પણ એ આંકડાનો ઉપયોગ કરતાં પહેલાં એ આંકડા પુષ્કળ પ્રમાણમાં છે કે

નહિ તે જોવું જોઈએ, અને આંકડા બરાબર તપાસેલા છે કે નહિ

૨૮