પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લડત કેમ મંડાઈ?
 


કહે છે: ‘કરજનો એ આંકડો અને આજનો આંકડો ગવર્નર અને તેની કાઉન્સિલ સ્વીકારી શકતાં નથી.’ આના કરતાં વધારે મોટી અવળાઈ કોઈ કલ્પી શકાય ?

નિષ્પક્ષ તપાસ જોઈએ

૩. બારડોલી તાલુકામાં ગણોતના ૩૫ ટકાથી વધારે મહેસૂલ લેવાતું નથી એમ કહેવામાં આવ્યું છે. આ આંકડાના જાદુ વિષે બે શબ્દ મારે કહેવા જોઈએ. સરકાર ભૂલી જાય છે કે જે ગણોત અને વેચાણના દાખલાઓ સેટલમેન્ટ કમિશનરે લીધા છે તે તદ્દન અવિશ્વાસપાત્ર છે એ મારી ફરિયાદ છે, કારણ વેચાણના અને ગણોતના દેખીતા દાખલાઓ તેમણે રદ નથી કર્યા, પણ બધા ગણતરીમાં લીધા છે. જો સાચાં ગણોતના દાખલાઓ કાઢવામાં આવ્યા હોત તો મહેસૂલ કદાચ ગણોતના ૫૦ ટકાથીયે વધવી જાત, પણ સરકારી કાગળમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે: ‘સરકારનાં પહાણીપત્રકમાંથી લીધેલા દાખલાઓ અનિશ્ચિત કેમ ગણવામાં આવે છે એનું કારણ તો આપવામાં આવતું નથી.’ આ બાબતમાં મારા વિસ્તારથી આપેલો જવાબ કાંઈ પણ શંકાનું કારણ રહેવા દે છે એથી મને આશ્ચર્યો થાય છે. સરકારના પત્રકમાં ગણોત કે વેચાણનો દસ્તાવેજ નોંધ્યો હોય, પણ કયા સંજોગોમાં એ ગણોતની અથવા વેચાણની રકમ ઠરાવવામાં આવી એ નોંધેલું નથી હોતું. એ તો કોઈ પ્રામાણિક અમલદાર તપાસ કરીને ખોળી કાઢે ત્યારે ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે; અને તો જ તે સાચા અને ખોટા વેચાણ અને ગણોતના વ્યવહાર છૂટા પાડી શકે. સરકારી અમલદારોએ આપેલી જુબાનીમાંથી મેં જે મહત્ત્વના ઉતારાઓ મારા કાગળમાં આપ્યા છે તેમાં જ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે સરકારનાં પત્રકો ઉપર કેમ વિશ્વાસ રાખી ન શકાચ. એટલે એ વિષે મારે વધારે વિવેચન કરવું ન જોઈએ. અહીં એટલું જ જણાવવાની રજા લઉં છું કે એ પત્રકો આજે નવાં નથી ઉત્પન્ન થયાં પણ કેટલાંયે સાલથી છે એમ એ અમલદારો જાણતા છતાં, તેમના અનુભવે તેમની પાસે ચેતવણી અપાવી છે કે એ પત્રકોમાંથી મળતી માહિતી ઉપર વિશ્વાસ રાખી ન શકાય, સેટલમેંટ અમલદારે પોતાનું કામ બરોબર રીતે કર્યું એ સરકારના વચનનો હું હજી પણ ઇનકાર કરું છું, અને સરકારને તપાસ કરવાનું આહ્વાન આપું છું. હું તો આગળ જઈ ને એ પણ કહું છું કે સરકારી પત્રકોમાંથી વેચાણદસ્તાવેજો બધા લેવામાં સેટલમેંટ અમલદાર લૅંડ રેવન્યુ કોડની કલમ ૧૦૭ માં આપેલી શરતને પણ પી ગયા છે. એ કલમમાં ઠરાવ્યું છે કે જમીનની કિંમતમાં અથવા તે

૩૪૯