પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ થું
બારડોલીમાં શું બન્યું ?—લોકપક્ષ
 

 તે જોવું જોઈએ. આંકડાની તપાસ કશી જ થઈ નહોતી એ આપણે જોઈ ગયા, અને આંકડા પુષ્કળ પ્રમાણમાં છે એમ પુરવાર કરવાને માટે મિ. ઍંડર્સન કેવી રીતે ભીંત ભૂલ્યા એ તો આપણે ગયા પ્રકરણમાં જ જોયું. મિ. ઍંડર્સને ૪૨,૯૨૩ એકર જમીન આખા તાલુકામાં ગણોતે અપાય છે એમ શ્રી. જયકરે આપેલા ૧૯૧૮ થી ૧૯૨૫ ના આંકડા ઉપરથી કહ્યું. એ તો સાત વરસના આંકડા હતા. જો એ સાત વરસના આંકડા લીધા તો કુલ જમીનને સાતે ગુણીને ગણોતે આપેલી જમીનનું પ્રમાણ કાઢવું જોઈતું હતું, પણ તેમણે તો સાત વર્ષમાં ગણોતે આપેલી જમીનનું પ્રમાણ એક વર્ષની કુલ જમીન પર કાઢ્યું, અને પછી દલીલ કરી કે લગભગ ૫૦ ટકા જમીન ગણોતે અપાય છે. જો ઍંડર્સનના આંકડા માનીએ તો કેવું વિચિત્ર પરિણામ આવે છે એ જોવા જેવું છે. નીચેનાં ગામોમાં કુલ જેટલી જમીન છે તેના કરતાં ત્યાં ગણોતે આપવામાં આવેલી જમીન વધી જાય છે :

ગામ કુલ જમીન સાત વર્ષમાં ગણોતે
આપેલી જરાયત જમીન
સાત વર્ષમાં ગણોતે
આપેલી ક્યારી જમીન
એકર એકર ગુંઠા એકર ગુંઠા
ઉતારા ૧,૩૧૭ ૨,૮૬૨
વધાવા ૭૯૪ ૧,૧૮૬ ૨૧ ૩૬ ૧૧
મિયાવાડી ૧,૦૫૭ ૧,૧૮૫ ૧૮
ભૈસુદલા ૭૫૧ ૯૨૫ ૩૭ ૩૩

દીવા જેવું છે કે ગણોતે આપેલી જમીનનું પ્રમાણ કુલ જમીનના સાતગણા કરીને કાઢવું જોઈએ.

પછી શું થયું તે તો ગયા પ્રકરણમાં વર્ણવ્યું છે. સરકારનો પક્ષ એટલો બધો ખોટો હતો, આંકડા અને હકીકતની પણ એટલી બધી દેખીતી ભૂલો હતી કે આખું નવું રિવિઝન રદ કરાવાની જ લોકો માગણી કરી શકતા હતા. પણ લોકોએ એવડી મોટી માગણી ન કરી. તેમણે તો તેમના નાયક તરીકે વીર છતાં ધીર નાયક વલ્લભભાઈને પસંદ કર્યા હતા. તેમણે ફરી તપાસ કરાવવાની માગણી ઉપર જ આગ્રહ રાખવાની સલાહ આપી.

પણ એ વાત તો આવતા પ્રકરણમાં કરશું.