પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લડત કેમ મંડાઈ?
 


સરકારની સદરહુ ઠરાવનો ૧૧ મો પૅરેગ્રાફ વાંચતાં પણ દિલગીરી ઊપજે છે સરકારને લોકોએ કરેલી અરજીઓમાં જે જે વાંધાઓ દર્શાવવામાં આવેલા છે તે બધા તેમાં એકીકલમે ઉડાડી દેવામાં આવ્યા છે. એ વાંધાઓ બહુ મહત્ત્વના અને ગંભીર પરિણામવાળા હોવા છતાં જે રીતે એ ઉડાડી દેવામાં આવ્યા છે તે બતાવે છે કે સરકારે તો કોઈ પણ હિસાબે વધારો લેવાનો ઠરાવ જ કરી નાંખ્યો છે.

મહેસૂલની આકારણી જેવી ભારે મહત્ત્વની બાબતમાં જે લોકોને તે ભરવું પડવાનું છે તેમને એ વસ્તુની જાણ કરવાની, અને દરેક ગામના પ્રતિનિધિઓ સાથે પૂરતી મસલત કર્યા સિવાય તથા તેમના અભિપ્રાયોને પૂરું વજન આપ્યા સિવાય કોઈ પણ જાતની ભલામણ નહિ કરવાની પોતાના અમલદારોને સૂચના આપવાની સરકારની સ્પષ્ટ ફરજ હતી. પણ અમલદારોએ આવું કશું કર્યું જણાતું નથી. તેમણે તો ‘ગણોતપટા અને સાંથના આંકડાઓ’ ઉપર જ બધી ઈમારત ચણી છે. સાથે સાથે અહીં મારે જણાવવું જોઈએ કે જમીન મહેસૂલના ઇતિહાસમાં મહેસૂલ નક્કી કરવાનું આ ધોરણ સરકારે પહેલી જ વાર આ તાલુકામાં અખત્યાર કર્યું છે. આકારણીઅમલદારે લોકોની વાત સાંભળી નહિ, અને તેને વજન ન આપ્યું, એ હકીકત બાજુએ રાખીએ તોપણ જમીન મહેસૂલ નક્કી કરવાનું આ ધોરણ જ બહુ વાંધાભર્યું અને સામાન્ય રીતે ખાતેદારોના હિતને બહુ નુકસાન પહોંચાડનારું છે.

વળી આ ધોરણ વાજબી છે એમ માની લઈ એ તોપણ સરકારે પોતે જ જાહેર કરેલી વાતની, દાખલા તરીકે ૧૯૨૭ના માર્ચમાં ધારાસભાની બેઠક દરમ્યાન મહેસૂલી ખાતાના મંત્રીએ જે વસ્તુ કહી હતી તેની, સરકાર બહુ જ ભારે કારણ સિવાય અવગણના કરી શકે નહિ. મહેસૂલી ખાતાના મંત્રીના કથનથી ઊલટા ચાલીને, આખી આકારણી, અસાધારણ વરસો દરમ્યાન જમીન અને પાકના વધી ગયેલા ભાવો અને તેને પરિણામે વધેલી સાંથ, તે ઉપર થયેલી છે.

વળી, બીજાં કેટલાલ કારણોથી પણ આખી આકારણી દૂષિત ઠરે છે. તે તરફ સંક્ષેપમાં આપ નામદારનું હું ધ્યાન ખેંચીશ. આકારણીઅમલદારે પોતાનું નિવેદન આકારણીની પ્રચલિત પ્રથા, જેમાં સાંથને ગૌણ સ્થાન આપવામાં આવે છે તે ઉપર ઘડ્યું એટલે લોકોએ પોતાના વાંધાઓ રજૂ કરતી વખતે તેને બહુ મહત્ત્વ આપ્યું નહિ. ત્યારબાદ આકારણી કમિશનરે આકારણીનું એક નવું જ ધોરણ સ્વીકાર્યું, એટલું જ નહિ પણ આકારણી

અમલદારે ગામોમના જે વર્ગો પાડ્યા હતા તેમાં પણ ફેરફાર કરીને નવા જ

૩૫૩