પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


રીતે કાઢી નાંખવાના તથા અન્યાય થવાનો સંભવ પૂરેપૂરો ટાળવાના હેતુથી આકારણીઅમલદારે સૂચવેલા અને આકારણીકમિશનરે ફેરફાર કરી નક્કી કરેલા દરોમાં ખૂબ ઘટાડો કરી નાંખ્યો, જેને પરિણામે આકારણીઅમલદારના ૩૦.પ૯ ટકા તથા આકારણકમિશનરનાં ૨૯.૦૩ વધારાને બદલે ચોખ્ખો વધારો ૨૧.૯૭ ટકા નક્કી કરવામાં આવ્યો. તમે કહો છો કે જે રીતે બધા વાંધાઓ ઉડાડી દેવામાં આવ્યા તે બતાવે છે કે વાંધાઓ ગમે તેટલા મહત્ત્વના હોય અને પરિણામો ગમે તેટલાં ગંભીર હોય, છતાં આગ્રહપૂર્વક વધારો કરવાનો સરકારનો નિશ્ચય જ હતો. ગવર્નર અને તેની કાઉન્સિલ આશા રાખે છે કે ઉપર આપેલા આંકડાઓ જોયા પછી તમારી ખાતરી થશે કે તમારી વાતને હકીકતનો ટેકો મળતો નથી. સારાંશ, તમારી જે દલીલ છે કે ખેડૂતોની સ્થિતિ ધ્યાનમાં લીધા વગર અને તપાસ માટે જેટલાં સાધનો મળી શકે તે બધાં સાધનોનો સંપૂર્ણ વિચાર કર્યા વિના આ આકારણી દાખલ કરવામાં આવી છે તેનો ગવર્નર, અને તેની કાઉન્સિલ ભાર દઈને ઇનકાર કરે છે.

૬. તમે એવું સૂચવો છો કે જે ૩૧ ગામમાં ૧૯ મી જુલાઈ ૧૯૨૭ ના સરકારી ઠરાવ નં. ૭૨૫૯ / ૨૪, જે જમીન મહેસૂલના વધારાની બાબતમાં છેવટનો હુકમ હતો તેની સામે બે મહિનાની અંદર વાંધાઓ દર્શાવવાની નોટિસો જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ચોડાઈ તેમાં નિયમનો ભારે ભંગ થયેલ છે. તેનો ખુલાસો એ છે કે આ જાતની નોટિસો તે જ ગામોમાં ચોડવામાં આવે છે જ્યાં આકારણીઅમલદારે સૂચવેલા દરો કરતાં પણ વધારે દરો નક્કી કરવામાં આવ્યા હોય. આવી નોટિસો કાઢવી જ જોઈ એ એવું કાયદાનું બંધન નથી, પરંતુ એ કાઢવાની વહીવટી પ્રથા એટલા ઉદ્દેશથી પડી ગયેલી છે કે આકારણીઅમલદારના સૂચવાયેલા દરોમાં સરકારને ફેરફાર કરવા જરૂરી જણાય છે તેની લોકોને ખબર પડે. એ વસ્તુ તો એક પ્રકારની રાહત છે, તેમાં ગંભીર નિયમભંગ શી રીતે થઈ જાય છે તે સમજવું મુશ્કેલ છે. તમે કહો છો કે આવી નોટિસોથી સાવ છેવટના હુકમરૂપ છે એ વસ્તુ નીકળી જાય છે. હું કહું છું કે આ ઠરાવો છેવટના હુકમરૂપ એટલા જ અર્થમાં નથી હોતા કે જો બે મહિનાની અંદર જે અરજીઓ આવે તે ઉપરથી સરકારને પોતાના ઠરાવમાં ફેરફાર કરવાની જરૂર જણાય તો સરકાર દરમાં ફેરફાર કરે, અને ઠરાવેલા દરો ગેરવાજબી છે એવી સરકારને ખાતરી ન થાય તો તે છેવટના રહે. તમે લખો છો કે આવી નોટિસોથી છેવટનો હુકમ બહાર પાડતા પહેલાં બધા વાંધાઓનો નિકાલ કરવાની સરકારની ફરજ થઈ પડે છે, અને છેવટના

૩૫૮