પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


નથી. તાલુકાની વસ્તી વધી છે અને હજુ પણ વધતી જાય છે, અનેદેવાળાનું એક પણ ચિહ્ન નજરે દેખાતું નથી.

૩, સેટલમેંટ અમલદારે પોતાનું કાર્ય બરાબર કર્યું છે એ સરકારના દાવાનો તમે તમારા કાગળના ચોથા ફકરામાં ઇનકાર કરો છો, અને વિશેષમાં એમ જણાવો છો કે તેનો રિપોર્ટ ‘રેકૉર્ડ ઑફ રાઈટ્સ’માંથી મળતી અચોકસ ખબરો પર, અને અસાધારણ વરસોમાં ચાલતા ભાવ પર જ મુખ્ય આધાર રાખી ઘડવામાં આવ્યો છે. જે ‘રેકૉર્ડ ઑફ રાઈટ્સ’માં ખાતેદારો વચ્ચે થતા જાહેર વ્યવહારની નોંધ રહે છે તે ‘રેકૉર્ડ ઑફ રાઈટ્સ’ની હકીકત અને આંકડા અચોકસ છે એમ તમે કયા કારણોસર માનો છો, એ તમે જણાવ્યું નથી. એ આંકડા અચોકસ છે એમ સરકાર તો માનતી જ નથી. રિપોર્ટના આંકડા અસાધારણ વરસમાં ચાલતા ભાવ પરથી ઠરાવવામાં આવેલા છે, એનો રદિયો ચોર્યાસી તાલુકાનું મહેસૂલ મંજૂર કરતી વખતે સરકારે પોતાના ઠરાવમાં પૂરેપૂરો આપી દીધો છે. સેટલમેંટના વિરોધ કરનારાઓ એમ પ્રતિપાદન કરવા માગે છે કે ઑગસ્ટ ૧૯૧૪ પછી સમસ્ત દુનિયામાં જે પરિસ્થિતિ ચાલી રહેલી છે તે અસાધારણ અને ક્ષણિક છે. અને ૧૯૧૪ના ઑગસ્ટ પહેલાં દુનિયાનો જે રંગઢંગ હતો તેવો જ રંગઢંગ વહેલામાં વહેલો થઈ જશે. પણ જે મહાયુદ્ધને સમાપ્ત થયે દશ વરસ વીતી ગયાં છે, છતાં પણ જેની કાયમી અસર હજુ પણ ટકી રહેલ છે તે વસ્તુને લક્ષમાં રાખ્યા સિવાય રજૂ કરવામાં આવતું દ્રષ્ટિબંદુ સરકાર માન્ય રાખી શકતી નથી.

અમલદારોના અભિપ્રાયો સાથે સરકારને શું લાગેવળગે ?

૪. તમે ગણોત અને સાંથનો પ્રશ્ન ઉઠાવી, સરકારના જ કેમ જાણે સત્તાવાર નિર્ણય હોય તેવી રીતે કેટલાક અમલદારોના અભિપ્રાયો ટાંક્યા છે. ચોકસાઈના દાવા કરી શકાય એવા આંકડાઓ અને પુરાવાઓ હાલ કેટલોક સમય થયાં જ મળતા થયા છે. એ અગત્યના મુદ્દાનું મહત્ત્વ ઉપરના અમલદારો બરાબર આંકી શક્યા હોય એમ લાગતું નથી. આવા આંકડાઓ ‘રેકૉર્ડ ઓફ રાઈટ્સ’માંથી હવે મળવા લાગ્યા છે. અને તેનો ઉપયોગ થોડાંક વરસો થયાં થઈ રહેલ છે એ સરકાર તરફથી તાજેતરમાં મંજૂર થયેલ આંકણીઓને લગતા તુમારો બારીકાઈથી જોવાથી સ્પષ્ટ થશે. સરકારે કઈ પદ્ધતિ સ્વીકારેલ છે તે જાણવા માટે તમારે ૧૯ર૭ ની ૧૭મી માર્ચના રોજ ધારાસભામાં નામદાર રેવેન્યુ મેમ્બરે પોતાના ભાષણમાં જે ધોરણ સત્તાવાર રીતે જાહેર કરેલ છે તે જોવું જોઈએ, કારણ કે એ

૩૬૮