પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આ લડત કેમ મંડાઈ?
 


સારુ મૂકવામાં આવ્યાં હશે ? ભાત તો લોકો ખાવાને માટે જ પકવે છે, અને ભાત વેચાય છે ત્યાં પણ તેના ભાવ ૧૯૧૪ ના જેટલા જ છે. આફવા ગામમાં તો ક્યારીની જમીન સાથે તળાવની જમીન ઉપર એટલો જ દર ચડે છે, જોકે એ જમીન માત્ર પાણીને માટે જ રાખવામાં આવે છે.

૩. દેલવાડા, કમાલછોડ, ઓરગોમ, સેજવાડ અને સિંગોદ ગામમાં ગણોતનો કશો આધાર જ નથી છતાં, અને ઉવામાં આજે જ સરકારધારો ગણોતના ૩૭ ટકા છે છતાં, વધારો થયો છે તે અન્યાય છે.

૪. પાંચમા વર્ગનાં બધાં જ ગામો.

ચોર્યાસીની પણ એ જ કથા છે. એ વિષે રા. બ. ભીમભાઈ જુદો કાગળ લખશે. ખરી વાત એ છે કે જરાયતમાં કશો જ વધારો કરવાનો આધાર નથી અને ક્યારીના દરમાં જે ઘટાડો થયો છે તેથી વધારે ઘટાડો થવો જોઈતો હતો. પણ એ ન થાય તો સરકાર જૂના દર કાયમ રાખે. કારણ બધાં જ રિવિઝન ફરી તપાસવાં પડવાનાં અને નવો કાયદો થશે એટલે તે બધા જ તાલુકાઓને લાગુ પાડવો પડશે. પણ એ થાય કે ન થાય, જે ગામોને હડહડતો અન્યાય થયો છે તે તો દુર થવો જ જોઈએ.

તમે ઇચ્છો કે આપણે મળવું જોઈએ તો હું મળવા તૈયાર છું.

નવો કાયદો બારડોલીચોર્યાસીને કેમ લાગુ ન પડે ?

ઉપરના કાગળનો તા. ૧૬ મી સુધી જવાબ આવ્યો એટલે શ્રી. વલ્લભભાઈ એ યાદ દેવડાવવા બીજો પત્ર લખ્યો તેમાં ઉમેર્યું :

સરકારે શ્રી. શ્રોફને પત્ર લખ્યું છે તેમાં સુધરેલી મહેસૂલનીતિનો જે નિશ્ચય કર્યો છે તે માટે હું સરકારને ધન્યવાદ આપું છું. પણ નવો કાયદો બારડોલી અને ચોર્યાસીને કેમ લાગુ ન પડે તે હું સમજી શકતો નથી. જો એનો અર્થ એ છે કે ગમે તે કાયદો થાય તો પણ બારડોલીચોર્યાસીમાં જે દર નક્કી થયા છે તેમાં વધારો તો થઈ જ ન શકે તો તો હું સરકારનો ઠરાવ સમજી શકું છું. પણ જો સરકારનો એવો આશય હોય કે નવો કાયદો થયા પછી જે રિવિઝનો થાય તેથી બારડોલીચોર્યાસીને ફાયદો થતો હોય તોપણ ન મળે તો તો મારે જણાવવું જોઈએ કે એ તાલુકાના લોકોને ભારે અન્યાય થશે. આવું થાય એમ હું માનતો નથી, પણ સરકારની ભાષાનો આ અર્થ પણ થઈ શકે છે એ મારે જણાવવું જોઈ એ. હું તો મારા ૨૪ મી જૂનના પત્રમાં જણાવી ચૂક્યો છું: ‘નવા દરોમાં જ અન્યાય રહેલો છે.’ લોકો હવે અધીરા થયા છે. કૃપા કરીને તુરત જવાબ આપો અને મેં શંકા કરી છે તે દૂર કરો.

૩૭૩