પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરકારની ધમકીઓ
 


જમીનનો એક પણ ટુકડો જપ્ત કરતાં ડર લાગશે, અને જપ્ત કરે તોપણ કોઈ તેનો કબજો લેવા આગળ આવી શકશે નહિ. વળી તેઓ કહેતા હતા કે જપ્તીમાં લીધેલી ભેંસોને કોઈ પણ જણ ખરીદ કરવાની હિંમત ધરી શકશે નહિ. આ બધું કહેવું સાવ ખોટું ઠર્યું છે. તેઓ આગળ ઉપર વળી કહેતા હતા કે કશું પણ મહેસૂલ ભરાશે નહિ, આ કથન પણ આગળ જેવું જ ખોટું છે. અત્યારસુધીમાં, તાલુકા અને મહાલના મહેસૂલની વસૂલાત પેટે સરકારને લાખ રૂપિયા મળી ગયા છે; એટલે કે કુલ જમીનમહેસૂલના છઠ્ઠા ભાગ જેટલું ભરાઈ ગયું છે, આ પણ નોંધવાજેવું છે કે પડોશના ચોર્યાસી તાલુકામાં, બારડોલી કરતાં નવી જમાબંધીવધુ હોવા છતાં તેમજ આ જ વર્ષે તે દાખલ કરવામાં આવી હોવા છતાં મહેસૂલનો નવદશાંશ કરતાં યે વધુ ભરાઈ ગયો છે.

બધી નાતજાતના જમીન ધરાવનારાઓ તરફથી બારડોલી અને વાલોડમાં મહેસૂલ આવી ગયું છે. પરન્તુ નાતબહારના સામાજિક બહિષ્કાર અને દંડથી અસહકારી આગેવાનો સરકારને તેમનું કાયદેસરનું દેણ ભરનાર લોકોને દમદાટી આપે છે — તેમને પજવવામાં નહિ આવે એ હેતુથી સરકારી અમલદારોએ તેમનાં નામો ગુપ્ત રાખ્યાં છે.

સરકાર માને છે કે બીજા ઘણા ભરવાને આતુર છે, અને સરકાર તેમને પૂરતી તક આપવા તેમજ તેમ કરીને તેમને જમીન ખોવામાંથી બચાવવા ઇચ્છે છે. તેથી તેમને જણાવવામાં આવે છે કે (૧) મહેસૂલ નહિ ભરનારાઓને ચોથાઈ દંડમાંથી મુક્ત રાખવાની કલેક્ટરને સત્તા છે તથા જેઓ ૧૯ મી જૂને કે તે પહેલાં મહેસૂલ ભરી દેશે તેમને જ તે આવી રાહત આપી શકશે, અને (૨) મહેસૂલભરણું ગમે તે સરકારી અમલદાર દ્વારા કે તાલુકા, મહાલ અથવા હજૂર તિજોરીમાં થઈ શકશે.

ફરી તપાસ માગીને પસ્તાશો

જમીનમહેસૂલની ફરી આકારણી થઈ તે કેવી રીતે થઈ તેનો અભ્યાસ કરવાથી કોઈ પણ ન્યાયબુદ્ધિવાળા માણસની ખાતરી થશે કે સરકાર વાજબી કરતાં વધારે સારી રીતે અને ઉદારતાથી વર્તી છે. … લોકોની તકરાર પછી પાછી તપાસ પણ થઈ ચૂકી છે, કારણ રેવન્યુ મેમ્બર મિ. રૂ રજા ઉપર ગયા ત્યારે મિ. હેચ નામના અતિશય અનુભવી રેવન્યુ અમલદારે તેમની જગ્યા લીધી. મિ. હેચ નિષ્પક્ષ બુદ્ધિથી બધા કાગળો તપાસી ગયા છે, અને તેમની ખાતરી થઈ છે કે ગણોતો

૩૭૯