પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરિશિષ્ટ ૩

સમાધાનીનો પત્રવ્યવહાર

પૂના તા. ૬ ઠ્ઠી ઑગસ્ટ, ૧૯૨૮
 
ના. મહેસૂલખાતાના સભ્ય જોગ,

સાહેબ,

અમને કહેવાને આનંદ થાય છે કે અમે સરકારને ખબર આપવાની સ્થિતિમાં છીએ કે નામદાર ગવર્નરે તેમના ૨૩ મી જુલાઈના ભાષણમાં કહેલી શરતો પૂરી કરવામાં આવશે.

લિ સ્નેહાધીન,
(સહી) એ. એમ. કે. દેહલવી
( „ )ભાસાહેબ (કેરવાડાના ઠાકોર)
( „ )દાઉદખાન સાલેભાઈ તૈયબજી
( „ )જે. બી. દેસાઈ
( „ )બી. આર. નાયક
( „ )એચ. બી. શિવદાસાની
( „ )એમ. કે. દીક્ષિત

સરકારે નીચે પ્રમાણે તપાસકમિટી જાહેર કરી હતી :

એક મહેસૂલી અધિકારી અને બીજા ન્યાયખાતાના અધિકારી એમને તપાસ સોંપવામાં આવશે, બે વચ્ચે મતભેદના પ્રસંગે ન્યાયખાતાના અધિકારીનો મત નિર્ણયાત્મક ગણાશે; તપાસની શરતો નીચે પ્રમાણે રહેશે :

સદરહુ અમલદારાએ બારડોલી તાલુકાના અને વાલોડ મહાલના તથા ચોર્યાસી તાલુકાના લોકોની નીચેની ફરિયાદની તપાસ કરી રિપોર્ટ કરવો;

(ક) એ તાલુકાઓમાં કરવામાં આવેલો મહેસૂલવધારો લૅંડ રેવન્યું કોડ પ્રમાણે વાજબી નથી,

(ખ) સદરહુ તાલુકાઓ વિષે જે રિપોર્ટો બહાર પડેલા છે તેમાં સદરહુ વધારાને વાજબી ઠરાવવા પૂરતી હકીકત નથી, અને કેટલીક હકીકત ખોટી છે;

૩૮૪