પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૪૬


હતી. જાણે કે એ તો મૃત્યુ મરી ગયું હતું, સ્વામીજી નહોતા મર્યા.

પાંચ વાગે મૃતદેહ સ્મશાનભૂમિ પર પહોંચ્યો અને લાખો મર્ત્યજનોની વંદના સ્વીકારતો સ્વીકારતો એ ક્ષત્રિવર શહીદીનો મુગટ માથે ધરીને ચિતાની જ્વાલાએાના રચાયેલા સ્વર્ગસિંહાસન પર ચડી અદૃશ્ય થયો. ક્ષત્રિવીર પથારીમાં પડ્યાં પડ્યાં મૃત્યુને શરણ થવામાં યુગયુગો થયાં જે માનહાનિ સમજે છે, તે માનહાનિમાંથી આ ક્ષત્રિયને પણ વિશ્વંભરે બચાવી લઈ વીરમૃત્યુને વરવાનો સુયોગ આપ્યો. સીત્તેર વર્ષના એ સમરાંગણની આ રોમાંચકારી કથા, એવા મૃત્યુ થકી ન વિસરાય તેવી બની ગઈ. માતાઓ બચ્ચાંને ખેાળામાં સુવાડી પયપાન સાથે સીંચે અને પારણાંની દોરી તાણતી બહેનો હાલરડાંમાં ગાય, એવી ઘણી ઘણી વીર ગાથાએામાં આ મૃત્યુ ઉમેરો, નેાંધાવે છે.