૨૧૪
'પંજાબના નૌજવાનો, એક શબ્દ હું તમને સંભળાવવા
માગું છું : તે એ છે કે પરીક્ષાઓ પસાર કરવી એ તમારી
ઝીંદગીનો અંત નથી. જે મનુષ્ય પોતાની જ ઇજ્જત અને
પોતાના જ આત્મસન્માનના ખયાલોમાં ઝકડાઈ રહેલો છે,
તે મનુષ્ય નથી, હેવાન છે. જો ઉચ્ચ ભાવોને દબાવીને
એશારામમાં જ જિંદગી વીતાવી નાખીશું તો એ જિંદગી
આપણે માટે મોતથી પણ અધમ બની જશે, હું હરગિજ
નથી કહેતો કે તમે વધુ પડતા જોશથી કામ લો. પણ
એાછામાં ઓછી બે વાતો તો જરૂર કરો : ખાદી પહેરો
અને શાહજાદાનો બહિષ્કાર કરો.
'પંજાબની દેવીઓ ! મને ખબર છે કે તમારા અંતરમાં પણ પ્રજાસેવાનો અગ્નિ સળગી રહેલ છે અને એ સેવા ઉઠાવવામાં તમે તમારી સ્વતંત્રતાની પણ પરવા નથી કરતી. તમારામાંથી ઘણી બહેનો કેદમાં જવા માટે પણ તૈયાર છે. પરંતુ બહેનો ! અહીંનાં જેલખાનાં તો શયતાનનાં રહેઠાણ છે. ત્યાં બદમાશી અને હરામીનું પરિબલ છે. માટે તમે એ ખયાલ છોડી દઈને શુદ્ધ સ્વદેશીના પ્રચારથી તેમજ ઉપયોગથી તમારા દેહને પવિત્ર કરી કાઢો. ઉપરાંત આપણા જે ભાઈઓ નાનાં બચ્ચાંને મૂકીને જેલમાં જાય છે તેની ગેરહાજરીમાં તમે એ બચ્ચાંની રખેવાળી પણ કરી શકો છો.'
'દેશવાસી ભાઈઓ ! હું હવે વિદાય લઉં છું. હું તો પરમ શ્રદ્ધા લઈને જાઉં છું, કે મારા પ્યારા દેશની અને