૨૧૮
'હું છું એ લાજપતરાય!' કહેતો ચાલીશ વર્ષનો
પંજાબી નેતા એક ખૂણામાંથી વિદ્યતવેગે ખડો થઈ ગયો.
એની મુખદ્રામાં હિમ્મત અને ગૈારવ ઝલકી રહ્યાં હતાં: પંદર
મિનિટ સુધી એણે ફીરોઝશાના પંથભૂલ્યા વિચારો પર
વાગ્ધારા ચલાવી. વિનયનો દોર ચૂક્યા વગર એના એકેએક
મુદ્દાને તેજસ્વી દલીલોથી ચૂર્ણ કર્યો. ફિરોઝશાએ જીવનમાં
પહેલી જ વાર તે દિવસે હાર ખાધી.
'અભય'નાં મૂલ ચૂકવવાં અઘરાં હતાં. એ દિવસેામાં આજીજી, અરજી અને કૃપાયાચનાના ઠરાવ થતા હતા. પરંતુ કાશીની મહાસભામાં એ ભિક્ષા-યુગના કાળની અંદર ૧૯૦૫ની સાલમાં લાલાજીએ પંજાબમાં વર્તતી દમન-નીતિ પર પોતાની તલવાર શી તાતી તિરસ્કાર-ધારા ચલાવી. એ 'અભય'નાં મૂલ એણે છ માસ સુધીની હદપારી વડે અને માંડલેના કારાવાસની વેદનાઓ વડે ચૂકવ્યાં. છ માસે છૂટી થતાં જ એ તલવાર મ્યાનમાંથી બહાર ખેંચાણી. એની ધાર બુઠી થવાને બદલે પીડનોનું પાણી પીપીને અધિક તેજીલી બની.
પોતે ઇંગ્લાંડ ઉપડ્યા છે. ૧૯૦૮નું વર્ષ છે : બ્લેકબર્નના સભામંડપમાં લેંકેશાયરનો શ્રોતાવર્ગ ઠાંસોઠાંસ ભરાયો છે. લાલાજી જાણે છે કે હિન્દ ઉપર સાચું શાસન લેંકેશાયર અને માન્ચેસ્ટરનું જ ચાલી રહ્યું છે, પાર્લામેન્ટ