લાહોરમાં પહેલી રાત વીતાવી. પ્રભાતે ઊઠીને
જાણે નવી દુનિયામાં દાખલ થયો. અંતરમાં ઉત્સાહ અને
શરીરમાં સ્ફૂર્તિ પ્રગટ્યાં. એક ગાઉ ભટક્યો, ફૂલવાડીમાં
બેઠો, કિરતારને એની રચનામાં શોધતો શોધતો મુગ્ધ બન્યો.
પછી ધીરે ધીરે પગ ધરતી ધર ઠેરાયા. દિવસભર લૉ ક્લાસમાં
બેઠો. નિયમિત અભ્યાસ આદરી દીધો. રવિવારે પ્રભાતે
આર્યસમાજ મંદિરમાં હરિકીર્તનનો આનંદ લીધો. વિધવિધ
વિષય ઉપર વ્યાખ્યાન સાંભળ્યાં. સાંજે બ્રાહ્મ સમાજ મંદિરમાં
ગયો. વેદી પર આચાર્ય શિવનાથ શાસ્ત્રીને વિરાજમાન દીઠા.
પ્રભુ-પ્રાર્થના વખતની એની શાંત મુખમુદ્રા, એનો હૃદયવેધક
અવાજ અને એના પ્રેમરસભીના શબ્દોએ મારૂં દિલ વશ
કરી લીધું. વ્યાખ્યાનનો વિષય હતો 'ભક્તિનું મહત્ત્વ' અને
હું હતો પ્રભુ-મિલનનો પિપાસુ: બન્નેનો મેળ મળી ગયો.
એટલો પ્રભાવ પડ્યો કે બ્રાહ્મ સમાજ સંબંધે મળ્યાં તેટલાં
પુસ્તકો તેજ વખતે ખરીદી, મારા કાયદાના અભ્યાસની
સંગાથે એનો અભ્યાસ પણ મેં આદરી દીધો.
પરંતુ એ સીધા માર્ગ ઉપર એકાએક જાણે કે મારો ગતિમાન યાત્રારથ એક ઠેકાણે થંભીને ઊભો થઈ રહ્યો. વચ્ચે રેાદો આવ્યો. એ શું હતું ? પુનર્જન્મનું ખંડન: બ્રાહ્મ સમાજ