પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[૪]


બીજી આવૃત્તિ

પહેલી આવૃત્તિ ખપી જવાથી આ બીજી આવૃત્તિ રા. રા. દોલતરામ મગનલાલ શાહના સંબંધમાં રા. રા. મોહનલાલ મનસુખરામે પબ્લિશર તરીકે પ્રસિદ્ધ કરી છે.

આ પુસ્તકમાં ચિત્ર મૂકવાની યોજના આ બીજી આવૃત્તિ માટે થઈ શકી નથી.

અમદાવાદ,
એપ્રિલ, ૧૯૧૦

ર. મ. ની.
 


ત્રીજી આવૃત્તિ

આ ત્રીજી આવૃત્તિ છાપતાં દરમ્યાન રા. રા. મોહનલાલ મનસુખરામ મરકીથી અવસાન પામ્યા છે એ નોંધ કરતાં ખેદ થાય છે.

પુસ્તકમાં ચિત્ર મૂકવાની યોજના આખરે સફળ થઈ શકી છે. રા. રવિશંકર મ. રાવળની કુશળ ચિત્રકલાથી એ સિદ્ધિ થઈ છે.

અમદાવાદ,
જુલાઈ, ૧૯૧૮

ર. મ. ની.
 

ચોથી આવૃત્તિ

ત્રીજી આવૃત્તિ ખપી જવાથી આ ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

અમદાવાદ,
જૂન, ૧૯૧૮

ર. મ. ની.
 

પાંચમી આવૃત્તિ

ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં આ પુસ્તકે તેના લેખકને અમર કીર્તિ પ્રાપ્ત કરાવી છે. એક જમાનાથી વધારે સમય તેની પ્રથમ પ્રસિદ્ધિને થઈ ગયો છે. છતાં તેનું સ્થાન અજોડ રહ્યું છે, એ નિર્વિવાદ છે. એમાં રહેલા નર્મહાસ્યને સમજનાર વર્ગ ધીમેધીમે વધતો જાય છે અને બહુ લાંબે અંતરે પણ એની આવૃત્તિઓ કાઢવાનો પ્રસંગ આવે છે એ હકીકતના આનંદ અને સંતોષનો અનુભવ કરવા આજે તે લેખકની હયાતી નથી, એ બાબત તેમનાં કુટુંબીઓને સ્વાભાવિક શોક થાય જ. એ પુસ્તકમાં કરેલા કટાક્ષો એક જમાના પૂર્વે કેટલાકને ખેંચતા, પરંતુ હવે એ જમાનો આવ્યો છે કે આક્ષેપોનું વાસ્તવિકપણું મોટે ભાગે સ્વીકારાઈ ગયું છે અને દેશહિતની શુદ્ધ બુદ્ધિ તેમાં રહેલી છે એ વાત માન્ય થાય છે. ગુજરાતી ભાષામાં ‘ભદ્રંભદ્ર’ એ