આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
[૬]
કોટીના શ્રી દવે છે એ નિર્વિવાદ છે. તેમનો સહકાર એ આ આવૃત્તિનું સુભાગ્ય
છે.
સને ૧૯૫૧માં આ પુસ્તકની નકલો ખલાસ થઈ ગયેલી અને તેના. પ્રકાશકશ્રી અંબાલાલ મોહનલાલ શાહે ફરી તે છપાવવા પ્રબંધ કરેલો. દરમિયાન તેમનું એકાએક અવસાન થયું અને એ ખેદકારક બનાવથી આ કામ અટકી પડ્યું.
તેમના ઉત્સાહી ભાઈઓએ પોતાના ભાઈના કામને ઉપાડી લઈ તેમની ઇચ્છા પરિપૂર્ણ કરવા બનતો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિના પ્રકાશકમાંના એક, અંબાલાલના પિતા હતા અને પુસ્તકપ્રકાશન એ ભાઈઓનું કાર્ય ન હોવા છતાં આ પુસ્તક પ્રત્યેની તેમની મમતાને કારણે વર્ષોથી તે કર્યો ગયા છે.
આ આવૃત્તિમાં સ્વ. સર રમણભાઈની છબી તેમ જ સ્વ. શ્રી અંબાલાલની છબી, તેમના ભાઈ કાન્તિલાલની ખાસ ઈચ્છાથી મૂકવામાં આવી છે.
ગુજરાતી વાચકવર્ગ આ પુસ્તકને હંમેશ મુજબ આવકાર આપશે એવી આશા છે.*[૧]
અમદાવાદ,
તા. ૨૬-૬-'૫૩
તા. ૨૬-૬-'૫૩
વિદ્યાબહેન ૨. નીલકંઠ
- ↑ આ પુનર્મુદ્રણમાં તસવીરો તેમ જ ૨. મ. રા.નાં ચિત્રો ઉપલબ્ધ ન હોવાથી આપવામાં આવ્યાંનથી.