પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
બીરબલ વિનોદ.


છું. કેમકે, હવે પછી આપની સેવાનો પ્રસંગ મને ઈશ્વર બતાવશે કે કેમ એ નક્કી નથી. હા, કૃપાનાથ ! મુજ કિંકરી પર છેવટની આટલી કૃપા નહીં બતાવો?”

બાદશાહે સ્ત્રી ચારિત્ર્યથી ભોળવાઈ શરબત પીવા માટે 'હા' પાડી એટલે રાણીએ તરતજ ગ્લાસ ભરી આપ્યો. બાદશાહે લગારે સંકોચ વગર તે પી લીધો, થોડીવારમાં જ તેને કેફ ચઢયો અને ઘોર ઉંઘમાં પડ્યો. રાણીએ પોતાના માણસો તૈયાર રાખ્યા હતા, તેઓ બાદશાહને પાલખીમાં સૂવાડી રાણીને બીજી પાલખીમાં બેસાડી મહેલમાંથી બહાર નીકળી ગયા અને રાતો રાત મુસાફરી કરી સ્હવારના પહોરમાં રાણીના પિતાને ઘેર પહોંચી ગયા. બાદશાહને એક પલંગ ઉપર સૂવાડી રાણી પોતે તેની પાસે બેઠી. કેફ ઉતરતાં બાદશાહ જાગી ઉઠયો અને ચારે તરફ જોઈ આશ્ચર્યથી મનોગત્ કહેવા લાગ્યો “હું સ્વપ્ન જોઉં છું કે ખરેખર કોઈ અન્ય સ્થળે આવી પડ્યો છું?” એટલામાં તેણે રાણીને શૌચક્રિયાનો સામાન લાવતી જોઈ પૂછયું “હું જાગ્રતાવસ્થામાં છું કે સ્વપ્ન જોઈ રહ્યો છું.”

રાણીએ કહ્યું “દિલદાર! આપ જાગ્રત છે. ચાલો ઉઠો, દાતણ પાણી કરી નમાઝ પઢી લો.”

બાદશાહ આશ્ચર્ય પામી કહેવા લાગ્યો “પણ આ કાંઈ આ૫ણા મહેલનો ઓરડો નથી. તો પછી આપણે કયે સ્થળે છીયે એતો પ્રથમ મને બતાવ ?”

રાણીએ હાથ જોડી નમ્રતાપૂર્વક કહ્યું “કૃપાસિંધુ ! આ મારા પિતાશ્રીનો મહેલ છે. ગઈ કાલેજ આપે મને