પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
હથેલીમાં હાથી ડૂબ્યો.


ગંગનું બોલવું સાંભળી, આનંદ પામી, બાદશાહ બોલ્યો “ બારોટજી ! તમે ય ખૂબ કરી?! વારૂ, કોઈ બીજું કવિત પણ સંભળાવો.”

ગંગે હાથ જોડી કહ્યું “જેવી ખુદાવિંદની આજ્ઞા ”

સવૈયા

જ્ઞાન ઘટે કોઇ મૂઢકી સંગત, ધ્યાન ઘટે બિન ધીરજ લાએ;
ત્રીત ઘટે કોઈ મુંગેકે આગે, ભાવ ઘટે નિતહિ નિત જાએ;
શોક ઘટે કોઇ સાધુકી સંગત, રોગ ઘટે કુછ ઓસઢ ખાએ;
કવિ ગંગ કહે સુનશાહ અકબર, દારિદ્ર કટે હે હરિગુણગાએ.

બાદશાહે અત્યંત આનંદ પામી શાબાશી આપી. બીરબલ વધુ વાણી વિનોદ કરાવવાના હેતુથી બોલ્યો “ જહાંપનાહ ! ગંગ બારોટ તે કાંઈ જેવા તેવા છે ? ! એ તો બારોટમાં શિરોમણિ છે.”

ગંગે હાથ જોડી કહ્યું “એ સૌ નામદાર શહેનશાહના પ્રતાપ છે! ”

બીરબલ બોલ્યો “પણ એમાંયે પોતામાં રતિ જોઈયે, રતિ વિનાનું કાંઈજ નથી.”

ગંગ બોલ્યા “પુરૂષમાં જ્યાં સુધી રતિ ન હોય ત્યાં સુધી તે નકામો છે. સાંભળો:—”

સવૈયા.

રતિ બિન રાજ, રતિ બિન પાટ,
રતિ બિન છત્ર નહીં એક ટીકો;
રતિ બિન સાધુ, રતિ બિન સંત,
રતિ બિન જોગ ન હોય જતીકો;