ગંગનું બોલવું સાંભળી, આનંદ પામી, બાદશાહ
બોલ્યો “ બારોટજી ! તમે ય ખૂબ કરી?! વારૂ, કોઈ
બીજું કવિત પણ સંભળાવો.”
ગંગે હાથ જોડી કહ્યું “જેવી ખુદાવિંદની આજ્ઞા ”
સવૈયા
જ્ઞાન ઘટે કોઇ મૂઢકી સંગત, ધ્યાન ઘટે બિન ધીરજ લાએ;
ત્રીત ઘટે કોઈ મુંગેકે આગે, ભાવ ઘટે નિતહિ નિત જાએ;
શોક ઘટે કોઇ સાધુકી સંગત, રોગ ઘટે કુછ ઓસઢ ખાએ;
કવિ ગંગ કહે સુનશાહ અકબર, દારિદ્ર કટે હે હરિગુણગાએ.
બાદશાહે અત્યંત આનંદ પામી શાબાશી આપી. બીરબલ વધુ વાણી વિનોદ કરાવવાના હેતુથી બોલ્યો “ જહાંપનાહ ! ગંગ બારોટ તે કાંઈ જેવા તેવા છે ? ! એ તો બારોટમાં શિરોમણિ છે.”
ગંગે હાથ જોડી કહ્યું “એ સૌ નામદાર શહેનશાહના પ્રતાપ છે! ”
બીરબલ બોલ્યો “પણ એમાંયે પોતામાં રતિ જોઈયે, રતિ વિનાનું કાંઈજ નથી.”
ગંગ બોલ્યા “પુરૂષમાં જ્યાં સુધી રતિ ન હોય ત્યાં સુધી તે નકામો છે. સાંભળો:—”
સવૈયા.
રતિ બિન રાજ, રતિ બિન પાટ,
રતિ બિન છત્ર નહીં એક ટીકો;
રતિ બિન સાધુ, રતિ બિન સંત,
રતિ બિન જોગ ન હોય જતીકો;