પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
બીરબલ વિનોદ.


પ્રથમ તો અંધારી રાત અને વળી ઘરમાં દીપક સુદ્ધાં બળતો ન હોવાથી પેલો ડોસો બીરબલને ન ઓળખી શક્યો તેણે કહ્યું “ભાઈ ! રડનાર તો હું પોતેજ હતો અને મારું દુઃખ અવિનાશી પરમાત્માને સંભળાવતો હતો, પણ તે તને સંભળાવવામાં કાંઈ સાર નથી ! માટે કૃપા કરીને એ વિષે કાંઈ પણ પૂછતો ના.

બીરબલે કહ્યું “ભાઈ ! તું મને કહેતો ખરો, જેથી હું યથાશક્તિ તારા તે દુઃખને ટાળવાની કોશિશ કરું?!”

“ભાઈ એક તો અંધારું છે અને વળી મારા ઘરમાં દીવો સુદ્ધાં નથી એટલે ઘડપણની આંખો તારો ચહેરો જોઈ શકતી નથી. માટે તું તારું નામ બતાવ એટલે પછી હું મારું દુઃખ તારી આગળ કહી સંભળાવીશ.”

બીરબલે વિચાર્યું કે “મધરાત થવા આવી છે, વળી મને ઉંઘ પણ આવે છે, તેમજ એ વૃદ્ધને, હું કોઈ ચોર હોઈશ, એવો ખ્યાલ ન આવે એટલા માટે એને સ્હવારમાં મારે ઘેર તેડાવવો વધુ યોગ્ય થઈ પડશે, તેણે ડોસાને કહ્યું “કાકા ! તમે અત્યારે રડવાનું બંધ રાખો અને કાલે સ્હવારે દીવાનને ત્યાં આવજો. મારું નામ બીરબલ છે.” એટલું કહીને બીરબલ ચાલતો થયો. ડોસો તો બીચારો બીરબલ નામ સાંભળી દંગજ થઈ ગયો. પ્રથમ તો એ તેને ચોરજ ધારતો હતો, પણ જયારે “બીરબલ”નામ સાંભ- ળ્યું, ત્યારે તેની અજાયબીનો પાર ન રહ્યો. બીરબલ રાત્રિને સમયે વેશ બદલી નગરચર્ચા જોવા નીકળે છે એ વાત તે સારી પેઠે જાણતો હતો.

બીજે દિવસે સ્હવારના પહોરમાંજ ડોસો બીરબલના