પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
ચાર પ્રશ્નો.

બીરબલ બોલ્યો “જહાંપનાહ ! મેં કોઈ મોટું કૌતુક જોયું નથી, પરંતુ બધા માણસો એમ કહે છે. મેં જે કૌતુક જોયું તે આપને સંભળાવું છું. પેલા ખેતરમાં એક કુવો હતો જેમાં કેટલાક કબુતરો આવી ભરાયા હતા એટલે ખેડુતે તેની ઉપર એક ચાદર ઢાંકી દીધી. ત્યારપછી ખેડુતે ચાદર ઉઠાવી એટલે એક કબુતર ઉડી ગયું. જેથી ખેડુતે ચાદર પાછી ઢાંકી દીધી અને ફરી જોવા માટે ઉઠાવી એટલે એક કબુતર ઉડી ગયો.”

બાદશાહ બોલ્યો “વારૂ, એ પછી શું થયું ?”

બીરબલ બોલ્યો “પાછો ખેડુતે ચાદરનો એક છેડો ઉપાડ્યો એટલે એક કબુતર ઉડી ગયું.”

બાદશાહ વારંવાર પૂછતો કે “એ પછી શું થયું ?'

અને બીરબલ ઉપલોજ જવાબ આપતો, જેથી કંટાળી જઈ બાદશાહે કહ્યું “અરે બીરબલ ! “ એક કબુતર ઉડી ગયું” ? એ તારો લવારો કયારે બંધ થશે ?”

બીરબલે તરતજ જવાબ આપ્યો "હુઝૂર આપ “પછી શું થયું" નહીં બોલો એટલે મારો લવારો પણ બંધ થઈ જશે.

આ જવાબ સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો અને સરપાવ આપ્યો.

વાર્તા ૮૧.

ચાર પ્રશ્નો.

એક પ્રસંગે બાદશાહે દરબારમાં બીરબલને પૂછયું કે “બીરબલ ! દરેક પ્રાણી માત્ર જે ચંદ્ર સૂર્યને જોઈ