પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭
જેવી કરણી તેવી પાર ઉતરણી.

હસ્તી મહાદેવકે શીર અંકુશ, ભૂત પિશાચ મંત્ર કીયો હે,
ઔષધ હે સબકો સુખદાયક, સ્વભાવકા ઔષધ નાહીંકીયોહે.

આ પ્રત્યુત્તરથી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો.

વાર્તા ૯૦.

જેવી કરણી તેવી પાર ઉતરણી.

એક પ્રસગે બાદશાહ રાત્રે નગરચર્ચા જોવા નીકળ્યો હતેા. ફરતો ફરતો તે જમુનાના કિનારે આવ્યો, એવામાં ત્રણ સ્ત્રીઓ ત્યાં રડતી બેઠેલી જણાઈ. એ ત્રણે સ્ત્રીઓનું રૂદન સાંભળી શાહે તેમની પાસે જઈને પૂછયું કે“ તમે શા માટે રડો છે? એ કહેવામાં જો કશી હરકત ન હોય તો મને કહો."

આવા રાતના સમયે નદી કિનારે આવી કોણ સવાલ કરે છે, એ જોવા પેલી સ્ત્રીઓએ પાછળ ફરી જોયું એટલે કોઈ દેવાંશી નરને ત્યાં ઉભેલો જોયો. તેને જોતાં જ પેલી સ્ત્રીઓએ હાથ જોડી, શીશ નમાવી દીધું. થોડીવારે પહેલી સ્ત્રી બોલી કે “મ્હારો સ્વામી જમુના નદિને પેલે પાર ખેતીનું કામ કરે છે એટલે દરરોજ નદીમાં તરીને પેલે પાર જાય છે અને આવે છે. પણ કોઈક દિવસે પાણીમાં તરનારો પાણીમાંજ ડુબી મરે એ વિચાર આવતાં હું રડું છું.”

બીજીએ કહ્યું “મ્હારો ધણી રોજ ચોરી કરવા જાય છે જેથી તે કોઈક દિવસે કરોળીયાની પેઠે પોતાની જાળમાં પોતે જ ફસાઈ જશે અને માર્યો જશે. એ વિચાર આ- વતાં મને રડવું આવે છે."