પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
ઓર ક્યા ?

બીજે દિવસે જ્યારે બીરબલ દરબારમાં આવ્યો, ત્યારે બાદશાહે પૂછ્યું “બીરબલ ! કાલે શું કામ હતું?”

બીરબલ—“પૃથ્વિનાથ ! કાલે એકાદશી વ્રત હતું.”

બાદશાહ— “(હસીને) એકાદશી શું ચીજ છે?”

બીરબલ કાંઈ ઉત્તર આપે તે પહેલાં તો અક્કલના ખાં દરબારી બોલી ઉઠ્યા “હુઝૂર ! ઈરાનના શાહની બેગમનું એ નામ છે.”

બીરબલ તરતજ બોલી ઉઠ્યો “જી હા, હઝૂર! એ વાત ખરી છે, પણ તેને હીંદુઓજ રાખે છે.”

આ જવાબ સાંભળી બાદશાહ ચુપ થઈ ગયો, અને પેલો દરબારી તે લજ્જિત થઈને માથું નીચું ઘાલી બેસી જ ગયો.

વાર્તા ૧૨૨.

ઓર ક્યા?

એક દિવસ બીરબલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયો હતો, તે બાબતની બાદશાહને ખબર મળી ગઈ, એટલે જ્યારે તે દરબારમાં આવ્યો કે તરતજ બાદશાહે તે શું શું જમી આવ્યો હતો એ પૂછવા માંડ્યું. બીરબલે પ્રથમ તો ત્યાંના દેખાવનું અતિશયોક્તિ પૂર્ણ વર્ણન કહી સંભળાવ્યું, અને ત્યાર પછી ત્યાં જમવાના પદાર્થોનું વર્ણન શરૂ કર્યું. બાદશાહ શાંત ચિત્તે તે સાંભળોતો અને વચ્ચે વચ્ચે જ “ઓર ક્યા ?” એ પ્રશ્ન કરતો. એવામાં એકાએક એક મહત્વનું કામ આવી પડવાથી તે લીસ્ટ અર્ધુંજ રહ્યું.