ધિક્કારવાને બદલે મ્હારી સ્હામેજ બળવો જગાડો તો
મ્હને નકામી મહેનત પડે. તે શિવાય કદાચ તમે રાણીની
હત્યા કરો તો તેનું પાતક પણ અમારે માથે આવે, માટે
એતો નહીં બને !!”
આ સાંભળી અમરસિંહ બોલ્યો “હુઝૂર ! એવું કદાપિ નહીં બને. અમે રજપૂત છીએ, અમારો ટેક કદી ન ફરે. બોલ્યું વચન ન પાળીયે તો અમારા તુખમમાં ફેર ગણાય. હુ મ્હારા પૂર્વજોનો કોલ આપવા તૈયાર છું.”
બાદશાહે કહ્યું “એમ હું ન માનું. જો તમે કોઈ સારા આસામીને ઝામીન તરીકે મુકી જાઓ તો તમને એક માસની મુદ્દત આપી શકું.”
અમરસિંહ બોલ્યો “જહાંપનાહ ! આ પરાયા પરદેશમાં મ્હારો ઝામીન કોણ થઈ શકે ? તેમજ મ્હારી શિક્ષા પણ મુકરર થઈ ચુકી છે એટલે લોકો ઝામીન થતાં બ્હીયે પણ ખરા !!”
એવામાં અમરસિંહના ગામનો વતની મોતીચંદ સાહુકાર ઉભો થઈ બોલ્યો “જહાંપનાહ ! અમરસિંહને જવાની આપ રઝા આપો, હું એમનો ઝામીન થાઉં છું. જો એક મહીનામાં એ નહીં આવી શકે તો હું સુખેથી ફાંસીએ ચઢવા તૈયાર છું.”
બાદશાહ સહ સર્વ દરબારીયોએ મોતીચંદની હીંમત અને પરમાર્થબુદ્ધિ માટે અસંખ્ય ધન્યવાદ આપ્યા. અમરસિંહને રઝા મળતાં તે તરત જ પોતાના ગામ તરફ રવાના થયો. ચૌદમે દિવસે તે પોતાના ગામમાં પહોંચી