જબ દાંત ન થે તબ દૂધ દીયો, જબ દાંત ભયે તો અનાજહુ દૈહે,
જીવ બસેં જલ ઓર થલમેં, તિનકી સુધિ લેત સો તેરીહુ લૈહે;
ક્યૂં અબ સોચ કરે મન મૂરખ, સોચ કરે કુછ હાથ નઐહે,
જાનકો દેત, અજાનકો દેત, જહાનકો દેત, સો તોહુકો દૈહે. ૩
યદ્યપિ દ્રવ્યકો સોચ કરે, કબ ગર્ભમેં કે તોહ ગાંઠિતે ખાયો,
જા દિન જન્મ લિયો જગમેં, જબ કેતિક કોટિ લીયે સંગ આયો;
વાકો ભરોસો ક્યોં છોડે અરે, મન જાસોં અહાર અચેત પાયો,
‘બ્રહ્ય’ ભનૈ જનિ સોચ કરે, વોહી સોચિ હૈ જો બિરૂલા ઉલહાયો. ૪
રાજા બીરબલની ન્યાય પ્રત્યે અધિક રૂચિ હતી, તેણે ઘણી વેળા બાદશાહને સંપૂર્ણ રીતે દરેક ગુનાહની તપાસ કર્યા પછી જ ન્યાય આપવાની સલાહ આપી અનેક ગરીબોને ધનાઢ્યોના નાનાવિધ અત્યાચારોમાંથી ઉગાર્યા હતા.
“ અકબરનામા ” માં લખ્યું છે કે સંવત ૧૬૩૮ માં બાદશાહે નવરોઝના ઉત્સવ પ્રસંગે પોતાના અમીરોને રાજા તેમજ પ્રજા ઉભયને લાભકારક નિવડે એવી એક એક વાત બતાવવાની આજ્ઞા આપી. તે સમયે બીરબલે કહ્યું “કેટલાક નિસ્વાર્થી અને ન્યાયી માણસોને મુકરર કરવા જોઈયે, જેઓ દર વખતે એવા માણસોની શોધમાં રહે જેમની ઉપર અત્યાચાર ગુઝારવામાં આવ્યો હોય, અને તેમની સત્ય હકીકત પોતા તરફથી એક શબ્દ પણ ઉમેર્યા વગર દરબારમાં રજુ કરે.” બાદશાહે એ વાત અત્યંત પ્રસન્નતાપૂર્વક માન્ય રાખી, એ કાર્ય માટે બીરબલને જ નિયત કર્યો. બે વર્ષ પછી ( સંવત ૧૬૪૦ ) ન્યાય આપવાનો પણ કેટલોક ભાર બીરબલને માથે નંખાયો અને તેના મદદગાર તરીકે કાસમખાં, હકીમ હુમામ અય શમશેરખાં કોતવાલને નીમ્યા અને ચિટનીસનું કામ અબુલફઝલને સોંપાયું અને એવી આજ્ઞા કરવામાં આવી કે ‘સોગંદ અને સાક્ષી ઉપર ભરોસો ન કરતાં બુદ્ધિ અને અનુભવનો પણ ઉપયોગ કરવો અને અભિયોગની સંપૂર્ણ તપાસ કરવામાં કદી પણ ઢીલ ન કરવી.’