આપ વિવેક કરો છો. (પછી બાદશાહ પ્રત્યે જોઇને)
આલમપનાહ! મારું ચરણ દેવીકૃત છે તેથી એમાંથી કાંઈ
વધારે ચમત્કાર દેખાવો જોઈયે. ”
બાદશાહે ચારે તરફ જોઈ કહ્યું “આ દરબારમાંથી કોઈ પણ એમાંનો ચમત્કાર બતાવી શકશે ? ”
ફયઝી શાઈર બોલ્યો “ જીહાં, જહાંપનાહ ! એમાં વધારે ચમત્કાર છે ખરો, અહીંયા બોલાયલી બધી કવિ- તાઓનો એમાં સમાવેશ થયેલો છે. "બાળકુ, ભૂપ,સુભક્ત” એને જો પદ તોડીને વાંચીયે તો:--
બાળ, કુપ, સુભક્ત.
એમ થાય છે. પહેલી રીતે બધાને પસંદ પડતો અર્થ થાય છે, જયારે બીજી રીતે થતો અર્થ ઘણાકને રૂચે તેમ નથી.”
બાદશાહ આ સાંભળી આનંદ પામી બોલી ઉઠયો "શુક્ર છે તે પરવર દિગારનો કે જેણે મારા દરબારમાં આવા અમૂલ્ય રત્નો લાવીને એકઠા કર્યા છે. વારુ, પંડિ- તરાજ ! આજે આટલા બધા ચરણો બોલાયા એમાં સૌથી વધારે રસિક કયું? તમે કાવ્ય-શાસ્ત્રી છો તેથી એ વાતનો નિર્ણય સારી રીતે કરી શકશો.”
પંડિતજી બોલ્યા “કૃપાનાથ! એમ તો સૌ ચરણો રસિક છે, છતાં સરસ્વતીકૃત તો બીરબલનુંજ ચરણ છે જેથી એજ વધુ રસિક કહી શકાય.
આદશાહ તરત જ સરપાવ મંગાવી બીરબલને આપ્યો અને તેને દરબારી તરીકે મુકરર કર્યો. તેમ જ કવિરાયનો ખિતાબ પણ આપ્યો. પોતાની ચતુરાઈથી બી- 46 --