પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૯
નળાખ્યાન

સભા સહુ વિસ્મય થઈ કાંઈ, ટેહેલ છે મરમાળીરે;
ગેહેલીયો ટેહેલીયો કરીને કહાડ્યો, કોઇ ઉત્તર નાપે વાળીરે.
સુદેવ ગયો હયશાળા મધ્યે, ટેહેલ નાખી તેણે ઠારરે;
મહીલાનાં કહાવ્યાં વચન સુણીને, બાહુક નીસર્યો બહારરે.
કદ્રુપ કાયા કામળ ઓઢી, કરમાંહે ખરેરોરે;
પ્રગટ ખારે ખંખારીને બોલ્યો, તીખોને તરેરોરે.
કારમો સરખો સપોળ ચડાવે, ટુંકડા કર નચાવેરે;
નાસિકાએ સડકા તાણે ને, નયણાં મચમચાવેરે.
ભારે વચન કહ્યાં તે બ્રાહ્મણ, નિસર્યો મેહેણાં દેવારે.
વસ્તુને વ્પત તો વોહોરતીઓ, કરતો હશે પરઘેરે સેવારે.
વોહોર્‍યું તે કાંઈ રત્ન જાણીને, કાચ થઈ નીવડ્યુંરે;
તત્ત્વ રહિત માટે તજ્યું છે, નથી છૂટી પડીયુંરે.
તેહ મિત્રને તજીએ જેનું, મળવું મન વિના ઠાલુંરે;
તે સ્ત્રીને પરહરિએ જેનું, પિયુ કરતાં પેટ વહાલુંરે.
વાંક નહીં હોયે વોહોરતીઆનો, રહ્યો હોશે નિજધર્મેરે;
વસ્તુ વિપત પામતી હશે તે, પોતે પોતાને કર્મેરે.
ગૂઢ વચન કહી ઘોડારમાં, બાહુક જઇને બેઠોરે;
સુદેવ તો સાંસાંમાં પડ્યો, પ્રાણ વિચારમાં પેઠોરે.
એ બોલી તો નૈષધનાથની, હારદ અનાહૂતરે;
નળ ભૂપ એને કેમ કરી માનું, રૂપે બીજો ભૂતરે.
જઠરભરણ કો રીષનું જાળૂં, ફરી ન જાય બોલાવ્યોરે;
પડોશીને પૂછી કહાડ્યું, ત્રણ વરસ થયાં આવ્યોરે.
રાજાએ પ્રીત કરીને રાખ્યો, અશ્વવિદ્યા કોઇ જાણેરે;
પવિત્ર નૈવેદ્યને પાળે, વિજોગનું દુઃખ આણેરે.
એવું સાંભળી સુદેવ ચાલ્યો, આવ્યો વિદર્ભ દેશરે;
વૈદર્ભી તવ આનંદ પામી, વિપ્ર પૂજ્યો વિશેષરે.
શ્યામાએ સમાચાર પૂછ્યો, કહીં સ્વામીની ભાળરે;
સુદેવ કહે નિસાસો મૂકી, જડ્યો નહીં ભૂપાળરે.
દેશ વેદેશ ગામ ઉપગામ, અવની ખોળી બાધીરે;
અટણ કરતાં અયોધ્યામાં, શોધ કાંઇએક લાધીરે.