પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨
પ્રેમાનંદ

લક્ષ્મી નારાયણ શિવ ઉમયા હો, તેવું દંપતિ દીસેજી;
દીધું માન શ્વસુરવર્ગે હો, પૂછ્યું નૈષધ ઇશેજી.

વલણ.

નૈશધ ઇશે પૂછિયું, કુશળ ક્ષેમની વાતરે;
સમાચાર પરસ્પર જાણ્યો, હરખ્યો સઘળો સાથરે.

કડવું ૬૨ – રાગ: સામેરી

નળરાયનું રુપ પ્રગટ સાંભળી, સંસાર સુખીયો થાયરે;
પરમ લજ્જા પામિયો, દુઃખી થયો ઋતુપર્ણ રાય. હાવાં હું શું કરુંરે.
મેં સેવક કરીને બોલાવિયો, નવ જાણ્યો નૈષધરાયરે;
ધિક્ક પાપી હું આત્મા, હવે પાડું મારી કાય. હાવાં હું શું કરુંરે.
જવ મન કીધું દેહ મૂકવા, તવ હવો હાહાકારરે;
જાણું થયું અંતઃપુરમાં, નળ ભીમક આવ્યા બહાર. હાવાં હું શું કરુંરે.
હાં હાં કરીને હાથ ઝાલ્યો, મળ્યા નળ ઋતુપર્ણરે;
ઓશિયાળો અયોધ્યાપતિ, જઇ પડ્યો નળને ચરણ. હાવાં હું શું કરુંરે.
પુણ્યશ્લોક પાબન સત્ય સાધુ, જાય પાતિક લેતાં નામરે;
તેવા પુરુષને મેં કરાવ્યું, અશ્વનું નીચું કામ. હાવાં હું શું કરુંરે.
જેનું દર્શન દેવ ઇચ્છે, સેવે સહુ નરનાથરે;
તે થઇ બેઠા મમ સારથિ, ગ્રહી પરાણો હાથ. હાવાં હું શું કરુંરે.
શત સહસ્ત્ર જેણે જગ્ન કીધા, મેરુતુલ્ય ખરચ્યાં ધનરે;
તે પેટભરી નવ પામિયા, હું પાપીને ઘેરે અને.હાવાં હું શું કરુંરે.
જેનાં વસ્ત્રથી લાજે વિદ્યુલતા, હાટક મૂકે માનરે;
તે મહારાજ મારે ઘેર વસ્યા, કરી કાંબળું પરિધાન. હાવાં હું શું કરુંરે.
મેં ટુંકારે તિરસ્કાર કીધો, હસ્યાં પુરનાં લોકરે;
ત્રણ વરસ દોહેલે ભિગવ્યાં, મેં ન જાણ્યા પુણ્યશ્લોક. હાવાં હું શું કરુંરે.
આળસુને ઘેર, ગંગા આવ્યાં, ઉઠી નહીં નહાયો મૂર્ખરે;
તે ગતિ મારે આજ થઇ, મેં જાણ્યા નહીં મહાપુરુષ.હાવાં હું શું કરુંરે.
શ્રાવણકીટને ઘેર જાયે, જેમ ધરાધર શેષરે;
જેમ નીચ મનુષ્યને ઘેરે જાયે, ભિક્ષાને મહેશ. હાવાંને હું શું કરુંરે.
જેમ ચકલીને માળે આવે, ગરુડ ગુણભંડારરે;
તેમ મારે ઘેર આવી વસ્યા, વીરસેનકુમાર. હાવાં હું શું કરુંરે.