પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩
નળાખ્યાન

જેમ કૃપણને ઘેર કમળા વસિયાં, ઘેર ન પ્રીછે વ્યયતણીરે;
તેમ મારે ઘેર નળ વસ્યા જેમ, ભીલને ઘેર પારસમણી, હાવાં હું શું કરુંરે.
જેમ અંધપત્નીતણાં આભૂષણ તે, વૃથાસહુ શણગારરે;
જેમ તીવ્ર આયુધ કાયરને કર, મર્કટ મુક્તાહાર. હાવાં હું શું કરૂંરે.
કળશ અમૃતનો ભરયો કો, મુરખને પ્રાપ્તિ થઇરે;
છે ભૂર ભોગી વારુણીનો, સુધાપાન પ્રીછે નહીં. હાવાં હું શું કરુંરે.
નિઃશ્વાસ મૂકે ને કંઠ સૂકે, થઇ ભૂપને વેદનાયરે;
અપરાધ વિચારી પોતાનો, ઋતુપર્ણ દુઃખિયો થાય. હાવાં હું શું કરુંરે.
પુણ્યશ્લોકને પાયે લાગે, ફરી ફરી કરે વિનંતિરે;
એ કૃતકર્મનાં કોણ પ્રાયશ્ચિત, ભર્યાં લોચન ભૂપતિ. હાવાં હું શું કરુંરે.
પાવક માંહે પરજળુ કે, હળાહળ ભક્ષ કરુંરે;
જીવવું મારું ધિક્ક છે, દેહ હું નિશ્ચે પરહરું. હાવાં હું શું કરુંરે.

વલણ.

પરહરું દેહ માહરો, ગોજારો જીવીને શું કરુંરે,
ઋતુપર્ણ પરમ દુઃખ દેખી, સમાધાન નળે કરયુંરે.

કડવું ૬૩ – રાગ: મારુ

ઋતુપર્ણની પીડા જાણી, નૈષધનાથ બોલ્યા ત્યાં વાણી;
ન થઇએ કાયર આંસુ આણી, એમ કહી લોહ્યાં લોચન પાણી.
આપત્કાળ કર્મ શું કહીએ,જે જે દુઃખ પડે તે સહીએ;
કોને આસરે નિશ્ચે જઇએ,પંચ રાત્રિ સેવક થઇ રહીએ.
ગુપ્ત રહ્યાનું કારજ સીધ્યું, મારું દુઃખ તમે હરી લીધું;
જે જનુનીનું પય મેં પીધું, તેણે એવડું સુખ નથી લીધું.
દશ માસ તે પેટમાં રાખે, અધિક થાય તો ઓછું ભાખે;
ત્રણ વરસ લગી કોણ રાખે, ભલાઇ તમારી થઇ જુગ આખે.
જ્યાં લગી સંપત્તિ હોય, ત્યાં લગે પ્રીત કરે સર્વ કોય;
ફર્યો સમો ત્યારે સદ્ય વિયોગ, નમતાં તે સામું ન જોય.
જે લોભના લીધા માયા માડે, થાય પરીક્ષા દુઃખને દહાડે;
ક્ષત્રી જણાએ ઉઘાડે ખાંડે, ભુડા મિત્ર તે ભીડે છાંડે.
કર્મકથા મેં મારી જાણી, ચોહો વર્ણનાં પોષ્યાં પ્રાણી;
જ્યારે વન નીસર્યાં હું ને રાણી, પ્રજાએ ન પાયું પાણી.