પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮
અખો


હાવિચાર વિચાર્યો અખે, જે ગગનચંદ નાવે જલવિષે;
વચે લહરી તરંગ બુદબુદા, બિંદુવિકાર ઇંદુને નહિ કદા;
એમ પરમાત્મા જાણે પિંડ, તે મહામહાત્મા તારક ભૂમંડ્ય. ૧૬૧


પ્રપંચ અંગ

પ્રાય પ્રપંચ આળપંપાળ,પંડિતે તેનાં ગુંથ્યા જાળ;
શ્ર્લોક સુભાષિત મીઠી વાણ,તેણે મોહ્યા કવિ અજાણ;
કહે અખો મર્મ સમજ્યા પખે,સંસ્કૃતનું પ્રાકૃત કરી લખે. ૧૬૨

વિએ શક્ય જણાવા કાજ,ગાજે જેમ રોહણીનો ગાજ;
વૃષ્ટિ થવાને નવ ગડગડે,સામો અવધ્યોથો પાછો પડે;
મિથ્યા સંસાર સાચો કવિ કવે,રખે અખા તું એવું લવે. ૧૬૩

પૂજાવા મનમાં બવ કૌડ, શબ્દતણા જોડે છે જોડ;
ભૂખ્યો નર બહુ તક્રજ પીયે, જાણે ઉદર ભરીને પુષ્ટિ પામીયે;
તેણે ધ્રાય નહીને વાધે રોગ, એમ અખા નોહે આતમભોગ. ૧૬૪

વિ થૈને અધકું શું કવ્યું, જોતા નહિ બ્રહ્મ અણચવ્યું;
રાગદ્વેષની પુંજી કરી, કવિ વ્યાપાર બેઠો આદરી;
તેમાં અખા શું પામે લાભ, વાયે ગયો જેમ સ્ત્રીનો ગાભ. ૧૬૫

હે અખો હું ઘણુંએ રટ્યો, હરિને કાજે મન આવટ્યો;
ઘણાં કૃત્ય કર્યાં મેં બાહ્ય, તોયે ન ભાગી મનની દાઝ;
દરશન વેશ જોઇ બૌ રયો, પછે ગુરુ કરવાને ગોકુળ ગયો. ૧૬૬

ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ગુરુએ મુજને ઘાલી નાથ;
મન ન મનાવી સદ્‌ગુરુ થયો, પણ વિચાર નગરાનો રયો;
વિચાર કહે પામ્યો શું અખા, જન્મજન્મનો ક્યાં છે સખા. ૧૬૭

હુ કાળ હું રોતો રયો, આવી અચાનક હરિ પ્રગટ થયો;
ત્રણ મહાપુરુષ ને ચોથો આપ, જેનો ન થાયે વેદે ઉથાપ;
અખે ઉર અંતર લીધો જાણ, ત્યાર પછી ઉઘડી મુજવાણ. ૧૬૮

રાત્પરબ્રહ્મ પરગટ થયા, ગુણદોષો તે દિનના ગયા;
અચ્યુત આવ્યાનું એ એંધાણ, ચવ્યું ન ચાવે અખો અજાણ;
જે નરને આત્મા ગુરુ થશે, કહ્યું અખાનું તે પ્રીછશે. ૧૬૯


જ્ઞાની અંગ

કળ લોક ત્યમ જ્ઞાતા પુરુષ, એમ જાણે તે નર છે મૂરખ;
દેહવિષે સૌ સરખા ગણે, જેમ કંચનતાર ત્રાપડમાં વણે;
અખા અમૃત તે પાણી નોય, રસ જાણી ગણશો માં તોય. ૧૭૦